SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તારંગાના અર્હત્ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ ? છે : એક તો એ કે સંબદ્ધકર્તા દંડનાયકનું અભિધાન લેખકો કહે છે તેમ ‘“અભયદેવ” નહીં પણ ‘‘અભયદ’’ હતુંષ. સોમપ્રભાચાર્યે તો ‘‘અભય’” નામ એટલા માટે બતાવ્યું છે કે ‘‘અભયદ’’ (વા પ્રાકૃત રૂપે ‘‘અભયડ”) લખવા જાય તો છંદનો માત્રામેળ તૂટે તેમ હતું. પરંતુ મૂળ નામ ‘‘અભયદ’ હતું તેમ માનવાને બે પરોક્ષ અને એક સીધું પ્રમાણ ઉપલબ્ધ છે. સં ૧૩૦૫ / ઈ સ ૧૨૪૯માં રચાયેલ બૃહદ્બરતરગચ્છગુર્વાવલીના પૂર્વાર્ધના કર્તા જિનપાલોપાધ્યાયે સ્વગુરુ જિનપતિસૂરિ જ્યારે આશાપલ્લી(કર્ણાવતી)માં આવ્યા ત્યારે ત્યાં દંડનાયક અભયદ”ની એક પ્રસંગના સંદર્ભમાં ઉપસ્થિતિ તથા તેણે ભજવેલા ભાગ વિશે જણાવ્યું છે; ત્યાં અલબત્ત તેમણે નામ ‘‘અભયડ” બતાવ્યું છે, પણ તે તો ‘દ'ના પ્રાકૃત રૂપ‘ડ’નો યથાતથ સ્વીકાર કરવાને લીધે છે. શ્રી લક્ષ્મણ ભોજકે પ્રસ્તુત અભયદના વંશજોનો એક ખંડિત સંસ્કૃત લેખ નિર્પ્રન્થના પ્રથમ અંકમાં પ્રકાશિત કર્યો છે : તેમાં યશોદેવના (પુત્ર રૂપે) એક સ્થાને ‘અભયદ મંત્રી', અને બીજે સ્થાને ‘દંડનાયક અભયદ’, એમ સ્પષ્ટ રૂપે અભિધાન મળે છે૯ જે ઉપલી વાતનું પૂર્ણતયા સમર્થન કરે છે. આ સિવાય ગિરનાર પરના કહેવાતા સંગ્રામ સોનીના મંદિરના મંડપમાં રહેલા નંદીશ્વરપટ્ટ પરના, શ્રીમાળી વસંતપાલના સં ૧૨૫૬ / ઈ સ ૧૨૦૦ના લેખમાં પણ તેના પિતારૂપે ‘‘અભયદ’” એવું નામ આપ્યું છે, જેનાથી ૧૨મા શતકમાં એ પ્રકારનું અભિધાન પ્રચલિત હોવાનું સ્પષ્ટતયા સૂચિત થાય છે. તારંગાના મંદિરના કારાપક દંડનાયક અભયદ (અભયદેવ નહીં) હતા કે સ્વયં કુમારપાળ તે વિશે, સોમપ્રભાચાર્ય જિનધર્મપ્રતિબોધ'માં વસ્તુતયા શું કહેવા માગતા હતા તે વિષયમાં હવે જરા વિસ્તારથી જોઈએ. સોમપ્રભાચાર્યે ‘‘આર્યખપુટાચાર્યકથા' અંતર્ગત તારંગા વિશેની વાતમાં અજિતનાથના મંદિર સંબંધમાં રાજા કુમારપાળના મુખમાં નીચે મુજબના શબ્દો મૂક્યા છે : तत्थ ममासेणं अजय जिणिदस्य मंदिरं तुंगं । दंडाहिव अभयेणं जसदेवसुएण निम्मिवियं ॥ Jain Education International ૧૭૩ અહીં ‘‘અનુજ્ઞા” (અણુળા) એટલે કે અનુમતિ, consent, જેવો શબ્દ ન હોતાં ‘“આદેશ” (માપ્ત)——આજ્ઞા, હુકમ, command, order—શબ્દોનો પ્રયોગ થયો છે. દંડનાયક અભયદેવે મંદિરનું નિર્માણ જરૂર કરાવ્યું પણ સ્વકીય દ્રવ્ય-કાર્ય આદિથી નહીં, રાજાના ‘આદેશ’થી, એટલે કે રાજા માટે જ કરાવેલું : અહીં આવો અર્થ જ અભિપ્રેત છે, તે વાત સોમપ્રભાચાર્યે કુમારપાળનાં નિર્માણો સંબંધમાં આપેલ એક અન્ય દૃષ્ટાંતથી પૂર્ણપણે સિદ્ધ થઈ જાય છે : જેમ કે પાટણમાં રાજાના ‘આદેશ’થી વાગ્ભટ્ટ મંત્રીએ વાયડ જ્ઞાતીય ગર્ગ શ્રેષ્ઠીના પુત્રોની દેખરેખ નીચે ‘કુમારવિહાર’ નામનું પાર્શ્વનાથ જિનનું ચતુર્વિંશતિ જિનાલય કરાવ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy