SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ત્યાંની ભૂમિતળ ઉપરના ભાગે દેખાતી હશે તે તમામ ધાર્મિક અને નાગરિક સંરચનાઓ ૧૪મી શતાબ્દીના આરંભે પૂર્ણતયા નષ્ટ થઈ ચૂકી છે, તદન્વયે આજે પાટણમાં સોલંકીયુગનાં મંદિરોના અવશેષો-અભિલેખો અતિ અલ્પ પ્રમાણમાં મળે છે; પણ મધ્યકાલીન સાહિત્યમાં તેમાંથી ઘણાના સગડ મળતા હોઈ તેમની એક કાળે રહેલી હસ્તીનું પ્રાથમિક અને નિઃશંક પ્રમાણ સાંપડી રહે છે. સિદ્ધરાજકારિત એક અન્ય બૃહકાયપ્રાસાદની હસ્તી બ્રાહ્મણોના મહાકંદ્ર વડનગર– વૃદ્ધનગર, પુરાણા આનંદપુર–માં હતી એવી ધારણા થવા માટે થોડાંક કારણો છે. ઉપલબ્ધ મધ્યકાલીન સાહિત્યમાંથી તો અલબત્ત એવું કોઈ સૂચન મળતું નથી૯, કે નથી તત્સંબંધ લભ્ય કોઈ અભિલેખીય પ્રમાણ; પરંતુ આ ઘટના અનુલક્ષે પુરાતત્ત્વનો એક સ્પષ્ટ પુરાવો છે વડનગરમાં બે પ્રસિદ્ધ અને અત્યુન્નત અને અલંકાર-પ્રચુર તોરણો, જે મૂળે કોઈ (હાલ વિલુપ્ત એવા) મહામંદિરના પરિસરમાં હતાં; તેની અવસ્થિતિ જોતાં અસલમાં ત્યાં પણ રુદ્રમહાલયની જેમ ત્રણ મુક્ત તોરણો મુખ્ય મંદિરના સંદર્ભમાં હતાં તેમ લાગે છે. તેમાં વચ્ચેનું હશે તે તોરણના ઉપરના ઇલ્લિકાવલણમાં મધ્યમૂર્તિરૂપે સ્કન્દ-કાર્તિકેય બિરાજમાન છે. મુખ્ય તોરણ શૈવ હોઈ પ્રાસાદ શિવનો હશે અને તેનું કદ લગભગ રુદ્રમહાલયપ્રાસાદ જેવડું જ હશે તેમ તોરણોની અવગાહનાને આધારે કલ્પી શકાય. પ્રાસાદ આથી વાસ્તુશાસ્ત્રોમાં વર્ણિત મેરુ જાતિનો હોવો જોઈએ. તોરણોની વાસ્તુ-શૈલી નિર્વિવાદ સિદ્ધરાજના કાળની છે ? અને મેરુ જાતિના પ્રાસાદો મહારાજાધિરાજો સિવાય અન્ય કોઈ ન કરાવી શકે તેવું “મટુગૂર્જર” વાસ્તુશાસ્ત્રોમાં સ્પષ્ટ વિધાન હોઈ, તેમ જ બહુ મોટાં, ગગનગામી શિખરોવાળાં, મંદિરો ઊભાં કરવાનું સાહસ તો અતિ ધનિક શ્રેષ્ઠીવરોની કે સંપન્ન દંડનાયકો-મંત્રીઓએ પણ વ્યાવહારિક કિંવા લોકધર્મની મર્યાદાને કારણે કર્યું નથી, તેમ જ આ કાર્ય પાશુપાતાચાર્યોની પણ ગુંજાશ બહારનું હોઈ વડનગરનો હાલ વિનષ્ટ એવો શિવનો મહાપ્રાસાદ એ કાળે તો જયસિંહદેવ સિદ્ધરાજ સિવાય બીજા કોણે કરાવ્યાનું કલ્પી શકાય?૩૪ સિદ્ધરાજનાં સુકૃતોની નોંધ લેતી સમયે અદ્યાવધિ ઉપેક્ષિત રહેલ અણહિલપત્તનના “સિદ્ધમેરુ કિંવા “જયસિંહમેરુપ્રાસાદનો, અને વડનગરના આ સિદ્ધરાજ વિનિર્મિત મેરુ-મંદિરનો પણ સોલંકી ઇતિહાસને સવિગત આલેખનાર ભવિષ્યના ઇતિહાસવેત્તાઓ સમાવેશ કરશે તેવી આશા વધુ પડતી નથી. લેખની કેન્દ્રવર્તી વાત તો અહીં સમાપ્ત થાય છે; કિંતુ સહસ્ત્રલિંગતડાગ સંબદ્ધ પ્રકાંડ પુરાવિદ્ (સ્વ) રમણલાલ નાગરજી મહેતાના આ પૂર્વે પ્રકાશિત થયેલા અભ્યસનીય લેખ (વિગત માટે જુઓ અહીં ટિપ્પણી ૨૪)નાં બેએક અવલોકનો વિચારણીય હોઈ અહીં આડપેદાશ રૂપે તેનું કેટલુંક પરીક્ષણ આવશ્યક માન્યું છે. “સગ્નલિંગ' શબ્દથી શું અભિપ્રેત છે તે સંબંધમાં અહીં એમના ઉદ્ગારો-વિચારો ઉદ્દેકી આગળ અવલોકન કરીશું: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy