SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધમેરુ અમરનામ ‘જયસિંહમેરુપ્રાસાદ' તથા સહસ્ત્રલિંગાટાક'ના અભિધાનનું અર્થઘટન ૧૩૯ અભિધાનો છે. આ સ્વતંત્ર અને સમર્થક પૌરાણિક ગ્રંથ ઉપર ટાંક્યો છે તે પ્રભાવક ચરિત ગ્રંથથી પણ વિશેષ પ્રાચીન૧, મોટે ભાગે તો સિદ્ધરાજકાલીન જ, હોઈ એથી પણ અધિક વિશ્વસનીય છે. સિદ્ધરાજના નામ પરથી નિર્માણ થયેલા, અને કુમારપાળના રાજ્યારોહણ પૂર્વે રચાઈ ગયેલા, મેરુવર્ગના મહાનું પ્રાસાદનો કર્તા સ્વયં સિદ્ધરાજ જ હોઈ શકે, પ્રાસાદ, નગરના મધ્યભાગમાં રચાયો હતો તેવી વિશેષ હકીકત પણ અહીં જાણવા મળે છે. પ્રસ્તુત “સિદ્ધમેરુપ્રાસાદ'ના નિર્માણકાળ વિશે કેટલોક પ્રાથમિક અંદાજ થઈ શકે તેમ છે. સિદ્ધપુરના “રૂદ્રમહાલય'ની રચના સિદ્ધરાજના માલવવિજય પછી જ, અને એથી ઈ. સ. ૧૧૩૫-૩૬ બાદ જ, મોટે ભાગે ઈસ. ૧૧૪૨ના અરસામાં, થઈ હોવાનો સંભવ છે૨ : સિદ્ધપુરસ્થિત “સિદ્ધવિહાર' પણ એ જ અરસામાં બન્યો હશે. “સહસ્રલિંગટાક' જયારે સિદ્ધરાજ અવંતિના યુદ્ધ(ઈ. સ. ૧૧૩૫-૩૬)માં રોકાયેલો ત્યારે પૂર્ણ થઈ ગયેલું એવું પ્રબંધચિંતામણિ પરથી સૂચિત છે ૨૪ : જ્યારે પાટણના “રાજવિહાર'ની પ્રતિષ્ઠામિતિ પ્રભાવકચરિત અનુસાર સં ૧૧૮૩ | ઈ. સ. ૧૧૨૭ના અરસાની છે". “સિદ્ધમેરુ પ્રસ્તુત રાજવિહારથી કેટલાંક વર્ષો પૂર્વે બંધાઈ ચૂક્યો હશે, જેનાં બે કારણો છે. એક તો એ કે રાજધાનીમાં સિદ્ધરાજ મોટું એવું જૈન મંદિર બંધાવે તેવી ઘટના પૂર્વે તેણે પોતાના કુલકમાગત ઈષ્ટદેવ શંભુનું એક ભવ્ય મંદિર બંધાવી લીધું હોય તે વિશેષ યુક્ત અને સ્વાભાવિક છે. બીજું આ પ્રમાણે છે : શ્વેતાંબરાચાર્ય વાદિ દેવસૂરિ અને દિગંબર ભટ્ટારક કુમુદચંદ્રના સિદ્ધરાજની સભામાં થયેલા વાદ સમયે “કેશવ' નામધારી ત્રણ વ્યક્તિઓ ઉપસ્થિત હોવાનું પ્રભાવકચરિતમાં જણાવ્યું છે તે : આમાંની એક તે સરસ્વતીપુરાણ અંતર્ગત (અન્યત્રે ઉલ્લિખિત) સિદ્ધમેરુના પરિસર)માં રહેનાર, કેશવ પંડિત હોવાનું સ્વ૦) કન્વેયાલાલ ભાઈશંકર દવેનું અનુમાન સતર્ક લાગે છે; આ અંદાજના આધારે એમ કહી શકાય કે “સિદ્ધમેરુ' કિંવા જયસિંહભેરુ' પ્રાસાદ શ્વેતાંબર-દિગંબરવાદના સમયથી પૂર્વે, એટલે કે ઈ. સ. ૧૧૨૫ પહેલાં, બંધાઈ ગયો હશે. ચાલુક્યકાલીન ઇતિહાસના પીઢ વેત્તાઓ સિદ્ધરાજનો સોરઠવિજય સિહસંવત્'ના પ્રારંભના વર્ષમાં, એટલે કે ઈ. સ. ૧૧૧૪ના અરસામાં, મૂકે છે. પ્રસ્તુત વિજય બાદ, અને ઈ. સ. ૧૧૨૫ પહેલાં, શિવના આ મહાન્ પ્રાસાદનું નિર્માણ થયું હોવાનું સંભવે છે. મહમૂદ ગઝનીના આક્રમણ પછી બંધાયેલા સોલંકીકાલીન અણહિલ્લ પાટણનાં દેવમંદિરોનો પહેલી વાર વિધ્વંસ તો ભીમદેવ દ્વિતીયના સમયમાં ઈ. સ. ૧૧૯૭ તેમ જ ૧૨૧૯ના અરસાનાં ખતરનાક મુસ્લિમ આક્રમણોમાં થઈ ચૂકેલો. તેમાંથી બચ્યું હશે તે, અને વાઘેલા યુગમાં સર્જાયું હશે તે, સૌનો ઘોર વિનાશ ખીલજી સમયના મુસ્લિમ આક્રમણથી (ઈ. સ. ૧૨૯૮-૧૩૦૫) અને પછીના મુસ્લિમ શાસનને કારણે થઈ ચૂક્યો જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy