SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૧૯ ૨૩. આ અંગે જયંતવિજયજી આ પ્રમાણે અવલોકે છે : “આ વિમલવસહી મંદિરની અપૂર્વ શિલ્પકળા અને વર્ણન ન કરી શકાય એવા પ્રકારની આરસની અંદર કરેલી બારીક કોતરણીનું આ ઠેકાણે વર્ણન કરવું નકામું છે. કારણ કે મૂલ ગભારો અને ગૂઢમંડપ સિવાયના બીજા બધા ભાગો લગભગ જેવી ને તેવી જ સ્થિતિમાં વિદ્યમાન હોવાથી વાચકો અને પ્રેક્ષકો સાક્ષાત ત્યાં જઈને તે સંબંધી ખાતરી કરવા સાથે આનંદ મેળવી શકે તેમ છે.” (આબુ, ભાગ પહેલો, પૃ. ૩૨). ૨૪. “અહીંનાં મુખ્ય બન્ને મંદિરોમાં દર્શન કરનારને સ્વાભાવિક રીતે આવી શંકા ઉત્પન્ન થાય કે દેરીઓમાં પણ આવી અપૂર્વ કોતરણી છે તે મંદિરોનો અંદરનો ભાગ (ખાસ મૂલગભારો અને ગૂઢમંડપ) બિલકુલ સાદો કેમ? અને શિખરો સાવ નીચાં–બેઠા ઘાટનાં કેમ ? વાત ખરી છે કે જે મંદિરોના બહારના ભાગમાં આવું સુંદર કામ હોય તેના ખાસ મૂલગભારા અને ગૂઢમંડપો તદ્દન સાદા હોય અને શિખરો સાવ નીચાં હોય, તે બનવાયોગ્ય નથી. પરંતુ તેમ હોવામાં ખાસ કારણ છે અને તે એ છે કે તે બન્ને મંદિરો બંધાવનાર મંત્રીવરોએ તો મંદિરોના અંદરના ભાગો બહારના ભાગો કરતાં પણ અધિક સુંદર નકશીદાર અને સુશોભિત કરાવ્યા હશે. પરંતુ સંવત્ ૧૩૬૮માં મુસલમાન બાદશાહે આ બન્ને મંદિરોનો ભંગ કર્યો ત્યારે આ બન્ને મંદિરોના મૂળ ગભારા, ગૂઢમંડપો, ભગવાનની બધી મૂર્તિઓ અને બન્ને હસ્તિશાળાની ઘણીખરી મૂર્તિઓનો સાવ નાશ કરી નાખ્યો હશે એમ લાગે છે; તેમ જ મૂળ ગભારો અને ગૂઢમંડપથી બહારના ભાગની કોતરણીમાંના પણ થોડા ભાગને નુકસાન પહોંચાડ્યું હોય તેમ જણાય છે. આવી રીતે ભંગ થયા બાદ પાછળથી આ બંને મંદિરોનો જીર્ણોદ્ધાર થયેલો હોવાથી અંદરનો ભાગ સાદો બનેલો જણાય છે.” (આબૂ, ભાગ પહેલો, પૃ૦ ૩૩) ૨૫. “દંતકથા છે કે આ મૂર્તિ વિમલમંત્રીએ આ મંદિર બંધાવતાં પહેલાં એક સામાન્ય ગભારો બનાવીને તેમાં વિરાજમાન કરી હતી, કે જે ગભારો અત્યારે વિમલવસહીની ભમતીમાં વીસમી દેરી તરીકે ગણવામાં આવે છે. આ મૂર્તિ શ્રી ઋષભદેવ ભગવાનની છે, પરંતુ લોકો વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામિની કહે છે. આ મૂર્તિ અહીં સારા મુહર્તમાં સ્થાપન થયેલી હોવાથી અને મૂલનાયકજી તરીકે બિરાજમાન કરવા માટે વિમલ મંત્રીશ્વરે ધાતુની નવી સુંદર મૂર્તિ કરાવેલી હોવાથી આ મૂર્તિને અહીં જ રહેવા દીધી.” (જયંતવિજયજી, આબૂ, ભાગ પહેલો, ઉજ્જૈન ૧૯૩૩, પૃ. ૨૭ Infra.) (સરખાવો ત્રિપુટી મહારાજ, જૈન પરંપરાનો, પૃ. ૧૮૩.) આ પ્રતિમાનું ચિત્ર લેવા દેવાની મંદિરના સંચાલકો યાત્રિકો-પ્રવાસીઓને પરવાનગી આપતા નથી. એનું ચિત્ર મંદિરની સ્થાનિક “ગાઇડ બૂક'માં છપાયેલું જોયાનું સ્મરણ છે. ૨૬. વિવિધતીર્થ કલ્પ(કલ્પપ્રદીપ)માં આ પ્રકારે નોંધાયેલું જોવા મળે છે : कलयन् विमलां बुद्धि विमलो दण्डनायकः । चैत्यमत्रर्षभस्याधात् पैत्तलप्रतिमान्वितम् ॥३६॥ आराध्याम्बां भगवतीं पुत्रसंपद्यस्पृहः । तीर्थस्थापनमभ्यर्थ्य चाम्पकद्रमसन्निधौ ॥३७॥ ८ – પિન્ક 1 પ્રબંધકોશકાર રાજશેખર પણ એવી જ મતલબનું કહે છે : तत्तथैव दृष्ट्वा चम्पकद्रुमसन्निधौ तीर्थमस्थापयत् । ત્તિનપ્રતિમા તત્ર હતી (જુઓ જિનવિજય મુનિ, પૃ૦ ૧૨૧.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy