SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (સં. જિનવિજયમુનિ, કલકત્તા ૧૯૩૬, પૃ. ૫૧. કાળ માટે જુઓ એજન પૃ. ૧૧.) ૧૪. આમાં સં. ૧૦૦૮માં રત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી એમ જણાવ્યું છે (જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૧૦, ટિપ્પણ ૨૨૪). મૂળ ગ્રંથ મને સંદર્ભાર્થે ઉપલબ્ધ નથી બન્યો. દેશાઈ પોતાના “વિમલમંત્રી અને તેની વિમલવસતિ” વક્તવ્યના પ્રારંભે અંબિકાના આદેશથી વિમલમંત્રીએ સંત ૧૦૮૮માં પ્રાસાદ બનાવ્યાને લગતો શ્લોક ટાંક્યો છે. પણ તે કયા ગ્રંથમાંથી તેમણે લીધો છે તે જણાવ્યું નથી : श्रीमान गौर्जरभीमदेवनपतेर्धन्यः प्रधानाग्रणी: प्राग्वाटान्वयमंडन: स विमलो मंत्रिवरोऽप्यस्पृहः । योऽष्टाशीत्यधिके सहस्रगणिते संवत्सरे वैक्रमे प्रासादं समचीकरच्छशिरुचि श्रीअंबिकादेशतः ।। ૧૫. આ ગ્રંથની મિતિ મને દાળ ભોગીલાલ સાંડેસરા તરફથી મારી પ્રચ્છાના ઉત્તરમાં મળી છે, જેનો અહીં સાભાર ઉલ્લેખ કરું છું. ૧૬. આ ગ્રંથ પણ જોવા નથી મળ્યો. અહીં કરેલી નોંધનો આધાર ત્રિપુટી મહારાજ છે. ૧૭. જયંતવિજયજી કહે છે : “મહામંત્રી વિમલશાહે ક્રોડો રૂપિયા ખર્ચીને જગતમાં કોઈ પણ તેની બરાબરી ન કરી શકે એવું આ વિમલ-વસહી નામનું ભવ્ય મંદિર બંધાવ્યા છતાં અને પોતે ગુજરાતના મહારાજા ભીમદેવ(પહેલા)ના પ્રેમપાત્ર મુખ્ય સેનાપતિ હોવા છતાં આ મંદિરની અંદર પ્રશસ્તિ તરીકે પોતાના નામનો એક અક્ષર પણ ખોદાવ્યો નથી...” (શ્રી અબ્દ, પૃ. ૨૮૯) પણ મને લાગે છે કે મૂળ પ્રશસ્તિલેખ અને મૂળ પ્રતિમાનું મોટે ભાગે લેખ ધરાવતું હશે તે પબાસણ નષ્ટ થયાં છે. ૧૮.દેશાઈ, પૃ. ૨૧૧, ટિ. ૨૨૪. ૧૯. આ અંગે એક બહુ જ નાનકડું પ્રમાણ ઉપલબ્ધ છે. જે વિશે અહીં ‘હસ્તિશાલા' અંગે ચર્ચા કરતી વેળાએ વિશેષ કહીશું. ૨૦. આબુ પર શિલ્પીઓ અને સ્થપતિઓની શ્રેણીઓ સ્થિર થઈ વસી રહી હોવાનો સંભવ ઘણો જ ઓછો છે. સ્થપતિઓને અવિરત આશ્રય ત્યાં પહાડ પર તો ક્યાંથી સાંપડે ? વિમલવસહીની રચના સમયે તક્ષણકારો ક્યાંથી આવ્યા હશે તેનો વિચાર કરતાં એક જ સ્થાન હૈયે ચઢે છે : ચંદ્રાવતી. ચંદ્રાવતી અબુંદમંડલની રાજધાની હોવા ઉપરાંત એક મહાન કલાસ્તોત્ર હોવાનું ત્યાંનાં ખંડેરોના કાટમાળની કલા પરથી કહી શકાય છે. ૨૧. આબુ ઉપરનાં મંદિરોનાં શિખરો નીચાં હોવાનું ખાસ કારણ એ છે કે અહીં લગભગ છ છ મહિને ધરતીકંપ થયા કરે છે. તેથી ઊંચાં શિખરો હોય તો જલદી પડી જવાનો ભય રહે, માટે શિખરો નીચાં કરાવવામાં આવ્યાં હોય એમ જણાય છે.” –(જયંતવિજયજી, આબ, ભાગ પહેલો, પૃ. ૩૪.) ૨૨. દેલવાડામાં વિમલવસહીની પાસે ઈસ. ૧૪૫૯માં બંધાયેલ ચતુર્મુખ મંદિર તેમ જ અચલગઢનું ચૌમુખ મંદિર (ઈ. સ. ૧૫૧૦) તો મજલાવાળાં અને પ્રમાણમાં ઠીક ઠીક ઊંચાં છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy