SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૦૩ વસતિકામાં મૂલનાયક તરીકે યુગાદિદેવની જે પ્રતિમા અધિવાસિત કરી હશે તે આ જ પ્રતિમા હોવી ઘટે. આટલી સુંદર અને મોટી પ્રતિમા જો ચંપકવૃક્ષ તળેની ભૂમિમાંથી પ્રગટ થઈ હોય તો તે વિશેષ મહિમાવંત ગણાય અને તો પછી એને અહીં ભંડારમાં સ્થાપિત કરવાને બદલે મૂલગભારામાં પ્રતિષ્ઠિત કરવામાં શું હરકત હોઈ શકે ? મંત્રીશ્વર વિમલે બંધાવેલ મૂલચૈત્ય કાળા પથ્થરનું હતું, આદિનાથને સમર્પિત હતું; આ પ્રતિમા પણ શ્યામશિલાની અને આદીશ્વરની જ છે અને શૈલીની દષ્ટિએ મંદિરની સ્થાપનાના કાળની જ છે, એ વાત પણ એને મૂલનાયકની પ્રતિમા હોવાની હકીકતને પૂર્ણતયા પુષ્ટિ આપી રહે છે. ૧૪મી-૧૫મી સદીના પ્રબંધોમાં મૂલનાયકની પ્રતિમા ધાતુની હોવાની વાત કહી છે; પણ પાછલા યુગના એ પ્રબંધકારોની અહીં કશીક ભૂલ થતી લાગે છે. વાસ્તવમાં તો ઈ. સ. ૧૩૨૨માં જીર્ણોદ્ધારકોએ આક્રમણ સમયે ખંડિત થયેલી આ પ્રતિમાને બદલી મૂલનાયકની નવી મૂર્તિ ગર્ભગૃહમાં બેસાડી અને એક વખતની ઉપાસ્ય અને પુનિત એવી આ અસલ પ્રતિમાનું વિસર્જન ન કરતાં અહીં ભાંડાગારમાં સુરક્ષા અર્થે મુકાવી જણાય છે. (મંત્રીશ્વર વિમલના સમયની બીજી પણ બે ઉપાસ્ય પ્રતિમાં હાલ વસહીમાં વિદ્યમાન છે. દેવકુલિકા ક્રમાંક ૨૧માં અંબિકાદેવીની ત્રણ પ્રતિમાઓ છે, જેમાંની મોટી તો મંત્રી વિમલના વંશજ હોવાનો દાવો કરનાર કોઈ ભાણે સં૧૩૯૪ { ઈ. સ. ૧૩૩૮માં ભરાવી છે. પણ બે નાની, લેખ વિનાની પણ અતીવ લાવણ્યમયી, ધમ્મિલમુકુટધારિણી અંબાની આરસની મૂર્તિની શૈલી ૧૧મા શતકના પૂર્વાર્ધની હોઈ, મંત્રીશ્વરના કાળની હોવી ઘટે. વિમલમંત્રી અંબિકાના પરમ ભક્ત હોવાની વાત પ્રબંધોમાં અને લોકોક્તિમાં ખૂબ જાણીતી છે.). વિમલચત્યના મૂલપ્રાસાદને જોડેલો કાળા પથ્થરનો અને સહેજ નીચેરી ફાંસનાવાળો ગૂઢમંડપ પણ મંત્રીશ્વરના સમયનો છે; પણ તેના ઉત્તર-દક્ષિણ મુખનાં આરસી દ્વારો અને પાર્થચતુષ્કીઓ (પડખા-ચોકીઓ) એ સમયનાં નથી; ને ગૂઢમંડપના મોઢા આગળનો મુખમંડપ (નવચોકી) પણ વિમલવિનિર્મિત નથી. એ મુખમંડપ અને આનુષંગિક ભાગ કદાચ વિમલના (લઘુ?) ભ્રાતા ચાહિલે ઉમેર્યો હોય તેમ જણાય છે. ઉપદેશસપ્તતિકાર સોમધર્મ ભ્રાતા ચાહિલે મંડપાદિક કરાવ્યાની નોંધ લીધી છે૨૯. એક અન્ય પ્રબંધમાં વિમલપુત્ર ચાહિલે રંગમંડપ કરાવ્યાનો ઉલ્લેખ છે, પણ આ છેલ્લા પ્રબંધકારે આ સંદર્ભે બે ગોટાળા કર્યા છે. એક તો એ કે રંગમંડપ મંત્રી પૃથ્વીપાલે કરાવ્યાનાં ઘણાં મજબૂત પ્રમાણો છે; બીજી વાત એ કે ચાહિલ્લ વિમલનો પુત્ર નહીં પણ ભ્રાતા હતો (મોટે ભાગે લઘુભ્રાતા). આ ચાહિલ્લના પ્રપૌત્ર નરસિંહના, અગાઉ અનુલક્ષાયેલ ઈ. સ. ૧૧૪૪ના પ્રતિમાલેખમાં, જે વંશાવળી છે તેમાં ચાહિલ્લને “વિમલાન્વયે” કે “વિમલસૂનુ' ન કહેતાં તેને “વીરસંતાને કહ્યો છે* અને તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy