SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ બદલે ભૂમિકાયુક્ત, ઘંટાવિભૂષિત સાદી “ફાંસના” (તરસટ) કરી છે. ‘નાગર' શિખર અહીં ન હોવાના કારણમાં એક અનુમાન એવું રજૂ કરવામાં આવ્યું છે કે ધરતીકંપથી બચાવવા આમ કર્યું હશે. આ તર્કને અલબત્ત સમર્થન સાંપડી શકતું નથી. આબૂમાં ભૂકંપના આંચકાઓ લાગતા હોત તો અત્યારે દેલવાડાનાં મંદિરો ઊભાં રહ્યાં ન હોત કે અત્યાર સુધીમાં તો ઘણું નુકસાન પામી ગયાં હોત. બીજી બાજુ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ૧૧મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં નિર્માયેલા ખેડબ્રહ્માના અંબિકા તેમ જ બ્રહ્માના પ્રાસાદો તેમ જ સિદ્ધપુર પાસેના કામળીગામના બ્રહ્માણી માતાના મંદિર (૧૧મી સદીનો પૂર્વાર્ધ) પર લગભગ આવી જ ફાંસના કરી છે. ખુદ દેલવાડામાં કુમારીમાતાના મંદિર પર તેમ જ એક શિવાલય પર પણ આ પ્રમાણે ફાંસના જ કરેલી છે, જે નિશ્ચયતયા ૧૧મી શતાબ્દીની છે. આ સૌ, પ્રમાણમાં સાદાં મંદિરોના પ્રમાણો લક્ષમાં લેતાં “નાગર-શિખર' ને બદલે “ફાંસના કરવાનો હેતુ કદાચ કરકસરનો હોઈ શકે. બીજી વાત એ છે કે વિમલવસહીનું મૂલત્ય (તેમ જ લૂણવસહીનું પણ) નિરલંકૃત હોઈ, એને ૧૪મી શતાબ્દીના જીર્ણોદ્ધાર સમયનું ગણી કાઢવામાં આવ્યું છે, પણ અહીં આગળ જોઈશું તેમ આરસી બાંધકામ સોલંકીયુગમાં પાછળના સમયે, નોખા તબક્ક, થયેલું છે; અને મૂલપ્રાસાદ નિરાભરણ હોવા છતાં એની શૈલી ૧૪મી શતાબ્દીની નહીં પણ સ્પષ્ટતયા ૧૧મા સૈકાની જ છે. રાજસ્થાનમાં મુંગથેલા, ઝાડોલી, અને નાડલાઈના (નેમિનાથના) સમકાલીન જૈન મંદિરોના મૂલગભારા પણ આવા જ સાદા પ્રકારે કરેલા છે, એટલું જ નહીં પણ અહીં તો મૂલપ્રાસાદના ત્રણે ભદ્રના ગોખલાઓની આરસની સપરિકર અસલી પ્રતિમાઓ હજી પણ એના મૂલસ્થાને પ્રતિષ્ઠિત છે. પ્રસ્તુત મૂર્તિઓના પરિકરના સુડોળ લલિતભરી ચામરધરો (ચિત્ર. ૧) અને અન્ય વિગતો ૧૧મા શતકના પૂર્વાર્ધની તક્ષણાનાં લક્ષણો પ્રગટ કરતા હોઈ નિઃશંક એ ઈ. સ. ૧૦૩૨, એટલે કે મંદિરની પ્રતિષ્ઠાના સમયના જ, ગણવા જોઈએ. એટલે મૂલપ્રાસાદ વિમલમંત્રીના સમયનો જ છે એમાં સંદેહને સ્થાન નથી. અંદર ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી તેમ જ મૂલચૈત્યની આરસની મૂલનાયક ઋષભદેવ ભગવાનની પ્રતિમા પણ ઈ. સ. ૧૩૨૨ના જીર્ણોદ્ધાર સમયની છે. સદ્દભાગ્યે વિમલમંત્રીએ પ્રતિષ્ઠા કરાવેલ અસલી પ્રતિમા ભમતીના નૈઋત્ય ખૂણે આવેલા ભાંડાગારમાં મોજૂદ છે. એને હાલ મુનિસુવ્રતસ્વામીની ૨૫૦૦ વર્ષ પુરાણી પ્રતિમા માનવામાં આવે છે. વિમલમંત્રીએ ચંપકવૃક્ષ નીચે દટાયેલી કાઢેલી પ્રતિમા તે આ જ, એવી પણ માન્યતા છે. પણ પ્રતિમાના ખંધોલા પર કેશવલ્લરી બતાવી હોઈ, તે જિન સુવ્રતદેવની નહીં પણ આદીશ્વરની માનવી ઘટે ૫, શ્યામ પથ્થરના આ પ્રભાવશાળી અને મોટા ભામંડળવાળા વિશાળ જિનબિંબની શૈલી ૧૧મી શતાબ્દીનો પૂર્વાર્ધ દર્શાવતી હોઈ, તેમ જ તેનું માન ગભારાના માન સાથે બંધબેસતું હોઈ, વિમલમંત્રીએ કાળા પથ્થરમાં જ બનેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy