________________
વાદી-કવિ બપ્પભદ્રિસૂરિ
૭૧
આ સરસ્વતીકલ્પમાં પણ તાગ્નિક પુટ વરતાય છે : જો કે મંત્રના લીધેલા આશ્રય પાછળ કેવળ “કવિચક્રવર્તિ થવા પૂરતી જ વાંછના રહેલી છે. પછીના જૈન તંત્રકારોની જેમ ઐહિક વાસનાઓની તૃપ્તિની તેમાં વાત કે આશય દેખાતાં નથી.
પ્રભાવકચરિતમાં કહ્યું છે કે બૌદ્ધ વાદી વર્ધનકુંજર સાથે વાદ દરમિયાન બપ્પભષ્ટિએ “ધરિત્યતે" શબ્દોથી આરંભતા ગીરાસ્તોત્રની રચના કરી, ગિરાદેવીને પ્રકટ કરી, વાડજયાર્થે ઉપાય અંગે સૂચના મેળવેલી ૮. પ્રસ્તુત સ્તોત્ર ૧૪ પદ્યયુક્ત હતું તેમ ચરિતકાર કહે છે, (તેમ જ પ્રબંધકોશકાર પણ)ત્યાં નોંધે છે કે દેવીએ બપ્પભટ્ટિને આદેશ આપેલો કે ચૌદચૌદ વૃત્તો પ્રકાશિત ન કરવાં, કેમ કે પૂર્ણ સ્તોત્રના પઠનથી તેને પ્રત્યક્ષ થવું પડશે (જો મંત્રવાદ અનધિકારીઓના હાથમાં પડી જાય તો અનર્થ થાય.) આજે તો પ્રસ્તુત સ્તોત્ર મળતું નથી. અને સંભવ છે કે પ્રબંધકારોના સમયમાં તેમાં ૧૪થી ઓછાં પદ્ય હશે, પણ મૂળે તેમાં ૧૪ પદ્યો હતો તેવી માન્યતા તે કાળે પ્રચારમાં હોવાનો સંભવ છે.
પ્રભાવકચરિતકાર તથા પ્રબંધકોશકારના કથન અનુસાર ગોપગિરિના મહાવીર બિબના, પરાજય પશ્ચાત્ મિત્ર બનેલા બૌદ્ધ વિદ્વાન વર્ધનકુશ્વર સંગાથે કરેલ સહદર્શન સમયે
શાન્તો વેષ:” નામક ૧૧ પદ્યોવાળું સ્તોત્ર રચ્યું તથા ગોકુળમાં નંદ સ્થાપિત શાંતિ દેવતાની જિન(શાંતિનાથ) સહિત “નતિ નદિક્ષારથી પ્રારંભાતી સ્તુતિ કરી. એમ જણાય છે કે ચરિતકારે તથા તેને અનુસરતા પ્રબંધકારોએ, વસ્તુતયા પ્રમાદવશ જ આવું ઊલટસૂલટું લખી નાખ્યું છે, કેમ કે તો વેષમાં સંભવતઃ “શાંતિ” જિન સૂચિત છે : યથા :
[મનોત્રાન]. शान्तोवेषः शमसुखफलाः श्रोतृगम्या गिरस्ते कान्तं रूपं व्यसनिषु दया साधुषु प्रेम शुभ्रम् । इत्थम्भूते हितकृतपतेस्त्वय्यसङ्गा विबोधे प्रेमस्थाने किमिति कृपणा द्वेषमुत्पादयन्ति ॥१॥
[પૃથ્વી છંદ] अतिशयवती सर्वा चेष्टा वचो हदयङ्गमं शमसुखफलः प्राप्तौ धर्मः स्फुटः शुभसंश्रयः मनसि करुणा स्फीता रूपं परं नयनामृतं
किमिति सुमते ! त्वय्यन्यः स्यात् प्रसादकरं सताम् ॥२॥ અનુપલબ્ધ “ગતિ નાદ્રક્ષાકર” સ્તોત્ર ગોપગિરિ-વીર અનુલક્ષે રચ્યું હોવું જોઈએ, દુર્ભાગ્યે તે કૃતિ ઉપલબ્ધ નથી. એના પ્રારંભનું કાન્તિમાન અને ગરિમાપૂત અર્ધચરણ જોતાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org