________________
વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ
તારાગણના મધ્યકાલીન ટીકાકાર વિશેષમાં બપ્પભટ્ટિને “કવિ' કહેવા ઉપરાંત “મહાવાદીન્દ્ર' પણ કહે છે જેથી બપ્પભક્ટિ જબરા વાદી હોવાની, ને બૌદ્ધ વર્ધનકુંજર સાથે તેમ જ ગિરનાર પાસે દિગંબરો (કે ક્ષપણકો વા યાપનીયો) પર તેમણે વાદમાં જય મેળવ્યાની જે વાત ચરિતકારો કહે છે તેને તારાગણ-સમુચ્ચયકારની પુરાણી ઉક્તિઓ તેમ જ ટીકાકારનું વિશેષણ પરોક્ષ સમર્થન આપી રહે છે. ટીકાકારના મતે તારાગણ “સુભાષિતકોશ” છે. તેમાંની ગાથાઓ ઉપદેશાત્મક હોવાને બદલે મહદંશે લૌકિક, શુદ્ધ સાહિત્યિક છે. પ્રબંધોમાં તો નીતિવાક્યો ને ન્યાયવચનો અતિરિક્ત લૌકિક સંસ્કૃત-પ્રાકૃત પદ્યો પણ એ અનુષંગે ટાંકવામાં આવ્યાં છે, જેમાંના કેટલાંક તેમનાં હોવાની શક્યતા છે. (સંભવ છે કે ઉપલબ્ધ તારાગણના લુપ્ત થયેલ પત્રોમાં આ ગાથાઓ હશે.)
બપ્પભટ્ટસૂરિની પ્રાપ્ત સંસ્કૃત રચનાઓમાં ૯૬ શ્લોકમાં નિબદ્ધ ચતુર્વિશતિજિનસ્તુતિપાદાન્તાદિયમકાંકિત હોઈ, શબ્દાલંકાર એવં અર્થાલંકારથી વિભૂષિત હોઈ, વ્યાખ્યાઓની મદદ સિવાય પૂરી સમજી–આસ્વાદી શકાય તેમ નથી. તેમાં કવિનું નૈપુણ્ય તો વરતાય છે, ઓજ પણ છે, પરંતુ આલંકારિક ચમત્કાર અને ચતુરાઈ બતાવવા જતાં પ્રસાદગુણની ક્યાંક ક્યાંક ન્યૂનતા રહે છે. જ્યારે તેમનાં શારદા સ્તોત્ર અને સરસ્વતીકલ્પના૫૪ પદ્યોમાં સરસતા સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. પ્રથમ સ્તોત્રના દશમા પદ્યમાં તાંત્રિક રંગ છેપ. સ્તોત્રની ગુણવત્તાની કક્ષાના આકલન માટે પ્રસ્તુત કૃતિનાં પહેલાં બે તથા ૧૨મા પદ્યને અત્રે ટાંક્યાં છે. (બારમા પદ્યની છેલ્લી પંક્તિ સુપ્રસિદ્ધ બ્રાહ્મણીય શારદાસ્તવ, “યા કુતુતુષારહારધવત્ના'ના છેલ્લા પદ્યના છેલ્લા ચરણનો પ્રભાવ બતાવી રહે છે.)
[દ્યુતવત્નશ્વિત] कलमराल विहङ्गमवाहना सितदुकूलविभूषणलेपना । प्रणत भूमिरु हामृतसारिणी प्रवरदेहविभाभरधारिणी ॥१॥ अमृतपूर्ण कमण्डलु( हा? धा )रिणी त्रिदशदानवमानवसेविता । भगवती परमैव सरस्वती मम पुनातु सदा नयनाम्बुजम् ॥२॥
[શહૂર્તવિહિત]. चञ्चच्चन्द्रमुखी प्रसिद्धमहिमा स्वाच्छन्द्यराज्यप्रदा । नायासेन सुरासुरेश्वरगणैरभ्यर्चिता भक्तितः ॥ देवी संस्तुतवैभवा मलयजालेपाङ्गरङ्गद्युतिः सा मां पातु सरस्वती भगवती त्रैलोक्यसंजीविनी ॥१२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org