________________
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
એ ક્રમમાં હોવાનો સંભવ છે; અને પ્રભાવકચરિતકાર અને એમને અનુસરીને પ્રબંધકોશકાર કહે છે તેમ તેમની નિર્વાણ તિથિ ઈ. સ. ૮૩૮-૮૩૯ની હોય તો અગાઉ કહ્યા છે તે આંકડાઓ દશ-૧૫ વર્ષ આગળ લેવા પડે; અને તો પછી ગિરનારની યાત્રામાં જે “આમરાજ” હોય તે ગોપગિરિરાજ “આમ' નહીં પણ નાગાવલોક પ્રતીહાર નાગભટ્ટ દ્વિતીય માનવો ઘટે. આમ એકંદરે જોતાં તેમના અસ્તિત્વના સમય-વિસ્તારનો પૂરેપૂરો સંતોષજનક નહીં તો યે કેટલેક અંશે કામ ચાલી શકે તેવો નિર્ણય થઈ જતાં હવે એમના જીવનનાં અન્ય પાસાંઓ તપાસવાનાં રહે છે. વિશેષ કરીને એમનું (૧) કવિત્વ; (૨) વાદીત્વ, અને તેમની પ્રેરણાથી આમરાજે કરાવેલા (૩) જિનાલય-નિર્માણાદિ.
બપ્પભટ્ટિ એક પ્રાંજલ અને સિદ્ધહસ્ત કવિ હતા તે વાતના પ્રબંધો અતિરિક્ત બે વર્ગમાં આવી જતાં કેટલાંક અન્ય અને સચોટ પ્રમાણો છે : એક તો અન્ય નિર્ઝન્થ વાડુમયકારોએ એમની કવિરૂપેણ કરેલી પ્રશંસા અને તેમની કાવ્યપ્રતિભાને અર્પિત કરેલ અંજલિઓ; બીજું એમની ઉપલબ્ધ કાવ્યકૃતિઓ. એને હવે ક્રમવાર જોઈ જઈએ :
(૧) રાજગચ્છીય વિનયચંદ્ર સ્વરચિત કાવ્યશિક્ષા(આ. ઈ. સ. ૧૨૨૫-૧૨૩૫)ના આરંભે, તથા પરિચ્છેદ “ક”માં, બપ્પભટ્ટિની વાણીનું આહ્વાન અને સ્મરણ કરે છે : યથા :
नत्वा श्रीभारतीदेवीं बप्पभट्टिगुरो गिरा ।। काव्यशिक्षा प्रवक्ष्यामि नानाशास्त्रनिरीक्षणात् ॥१॥३२
તથા
योगैर्लग्नैश्च नक्षत्रैर्ग्रहैवारैश्च सप्तभिः ।
लक्षणैर्जायते काव्यं बप्पभट्टि प्रसादतः ॥२२०॥33 (૨) વિનયચંદ્રથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે પર્ણમિક મુનિરત્નસૂરિના અમમ સ્વામિચરિત્ર (સં. ૧૨૨૫) ઈ. સ. ૧૧૬૯)ની ગ્રંથકર્તાએ રચેલી પ્રાંત-પ્રશસ્તિમાં ભદ્રકીર્તિનો “આમરાજમિત્ર' રૂપે ઉલ્લેખ થયો છે તથા તેમના (પ્રાકૃત ગાથા-કોશ) તારાગણને પ્રશંસાપૂર્વક યાદ કર્યો છે :
व्योम्नश्च भद्रकीर्तेश्च खत्तारागणस्य कः ।
बहुधामराज-मित्रराध्धस्यावै तु वैभवम् ॥२०॥३४ - (૩) અમસ્વામિચરિત્રથી નવ વર્ષ પૂર્વે, બૃહદ્રગથ્વીય આગ્રદેવ સૂરિના શિષ્ય નેમિચંદ્રસૂરિના પ્રાકૃત અનંતનાથચરિય(સં. ૧૨૧૬ | ઈ. સ. ૧૧૬૦) અંતર્ગત પાલિત્તસૂરિ અને વિજયસૂરિ સાથે બપ્પભટિની કવિતાની પ્રશંસા કરી છેષ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org