________________
વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ
૬૫
તે માનવા યોગ્ય કે બનવાજોગ વાત નથી. ગુરુ સિદ્ધસેનસૂરિ ઓછામાં ઓછું ઈ. સ. ૭૬૫૭૭૦ સુધી તો જીવિત હોય તેવી અટકળ થઈ શકે છે. આથી બપ્પભદિસૂરિને આચાર્યપદ મળ્યું હોય તે ઈ. સ. ૭૬૫ના અરસામાં હશે; અને તે માટેની ઈસ્વીસન્ ૭૫૫ વાળી મિતિ સાચી હોય તો બપ્પભટ્ટના જન્મની મિતિ ઈસ્વી. ૭૪૪ ને બદલે વહેલી, કલ્પપ્રદીપકાર અનુસારની ઈ. સ. ૭૩૩ હોવી ઘટે : પણ તો પછી તેમના ૯૫ વર્ષના આયુષ્ય તેમ જ અંતિમ વર્ષોની ઘટનાઓ, તેમ જ ૮૩૯ની મૃત્યુમમિતિનો મેળ ન બેસે.
(૩) જિનપ્રભસૂરિના ૫પ્રદીપ અંતર્ગત “મથુરાપુરીકલ્પ” માં જણાવ્યા પ્રમાણે વિ. સં. ૮૨૬ ; ઈ. સ. ૭૬૯-૭૭૦માં બપ્પભટ્ટસૂરિએ મથુરામાં મહાવીરના બિંબની પ્રતિષ્ઠા કરી. આ મિતિ ભરોસો કરવા લાયક છે. આ વર્ષોમાં બપ્પભટ્ટસૂરિ પ્રતિષ્ઠાકર્તા આચાર્યની કક્ષાએ પહોંચી ગયા છે; સંભવ છે કે એ વર્ષમાં તેમના ગુરુ સિદ્ધસેન કદાચ અતિ વૃદ્ધાવસ્થામાં હજી હયાત હોય.
(૪) ઉજ્જયંતગિરિ પર દિગંબરોનો (કે નાન્યમતાવલંબિ યાપનીયોનો વા એમના પૂર્વજ ઉત્તરના બોટિક ) અચલ ક્ષપણકોનો ?) પરાજય ઈ. સ. ૭૮૪ બાદના કોઈક વર્ષમાં થયો હશે; કેમ કે પ્રસ્તુત વર્ષમાં તો હજી અંબાશિખર પર સ્થિત) “સિંહવાહના શાસનદેવી” (અંબિકા) કે જેનું અસલી મંદિર મોટે ભાગે યાપનીય સંપ્રદાય દ્વારા પ્રસ્થાપિત હતું, તેનું સ્મરણ વર્ધમાનપુર (વઢવાણ) સ્થિત પુન્નાટ સંઘના આચાર્ય જિનસેન સ્વકૃત હરિવંશપુરાણ (ઈ. સ. ૭૮૪)માં કરે છે.
(૫) પ્રબંધકારોના કથન પ્રમાણે બપ્પભટ્ટસૂરિ દીર્ધાયુષી હતા. ૯૫ વર્ષે સ્વર્ગવાસી થયેલા. આ વાત અસંભવિત નથી. તેઓ ચૈત્યવાસી હોઈ, જૈન મુનિનાં આગમોપદેશિત કડક આચાર વા અતિ કઠોર ચર્યાના વ્યવહારમાં પાલનમાં માનતા નહોતા, તેમાંય વળી કવિજન, અને પાછા રાજસભામાન્ય, એટલે જીવ કંઈક શારીરિક સુખમાં પણ રહ્યો હશે : પણ એ શિથિલાચાર અને સુખશીલપણાની વાત જવા દઈએ તો યે એમના સમકાલિક વિદ્યાધર કુળના સુવિધૃત, આચારસંપન્ન યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ અને એમના જેટલા જ મહાનું અને વિખ્યાત, પંચસ્તૂપાન્વયના મઠવાસી દિગબંર આચાર્યો—ગુરુ વીરસેન અને શિષ્ય જિનસેન–પણ દીર્ધાયુષી હતા. સોલંકીકાળમાં (અને સાંપ્રતકાળે પણ) લાંબું આયખું પહોંચ્યું હોય તેવા પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ શ્વેતાંબર જૈન મુનિઓના કેટલાયે દાખલાઓ છે. આમ સમગ્ર દૃષ્ટિએ રાજગચ્છીય પ્રદ્યુમ્નસૂરિકૃત વિચારસારપ્રકરણ (પ્રાય : ઈ. સ. ૧૧૭૫-૧૨૦૦) તથા આંચલિક મેરૂતુંગાચાર્ય વિચારશ્રેણી(ઈસ્વી ૧૪મી શતીનો અંત કે ૧૫નો પ્રારંભ)માં આપેલી તેમની ઈ. સ. ૮૩૩ની તુલ્યકાલીન નિર્વાણતિથિ સ્વીકારીએ તો એમનો જન્મ કલ્પપ્રદીપ અનુસાર આ ઈ. સ. ૭૩૩, દીક્ષા આ ઈસ. ૭૪૦, અને આચાર્યપદ આ ઈ. સ. ૭૬૦
નિ ઐ, ભા. ૧-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org