________________
સ્વામી સમતભદ્રનો સમય
૪૭.
સંદર્ભગત વિક્રમાદિત્ય તે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય (ઈ. સ. ૩૭૭-૪૧૪) હોવાનો મોટો સંભવ હોઈ તેમનો સમય ઈસ્વી પંચમ શતકનો પૂર્વાર્ધ માનવો વધારે ઇષ્ટ છે. (કેટલાક દિગંબર જૈન વિદ્વાનો તેમને છઠ્ઠા શતકમાં મૂકે છે.) આ સમસ્યા અનુષંગે વિશેષ ઊહાપોહ મારા તથા શ્રી જિતેન્દ્ર શાહ દ્વારા સંપાદિત શ્રી બૃહદ્ નિગ્રંથ સ્તુતિમણિમંજૂષા નામક સમુચ્ચય ગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવનામાં આવનાર હોઈ અહીં વિશેષ કહીશ નહીં. ૩. આ મુદ્દા પર અહીં આગળ ઉપર સંદર્ભે ટાંકીને ચર્ચા થનાર છે. ૪. આવો તર્ક મરહૂમ મુખ્તાર સાહેબે ક્યાંક કરેલો એવું આછું સ્મરણ છે. ૫. પશ્ચાત્કાલીન શ્વેતાંબર પટ્ટાવલીઓમાં એક “સામંતભદ્ર” નામના (ઈસ્વીસનુની આરંભની સદીઓમાં) વનવાસી-ગચ્છના આચાર્યનો ઉલ્લેખ આવે છે, જે કર્તાઓનો ભ્રમ માત્ર છે. વનવાસી-ગચ્છનો ક્યાંયથીયે પત્તો નથી; “ગચ્છ શબ્દ પણ સાતમા-આઠમા શતક પૂર્વે મળતો નથી. ઈસ્વીસનના આઠમા શતકથી શ્વેતાંબર સંપ્રદાય મહાનું દિગંબર દાર્શનિક સમંતભદ્રની આસમીમાંસા તથા બૃહસ્વયંભૂસ્તોત્ર સરખી બે'એક રચનાથી પરિચિત હતો અને તેમની અપ્રતિમ પ્રતિભા તથા મહત્તાને નજરમાં રાખી તેમને સ્વયુધ્ધ ઘટાવી, પોતાના સંપ્રદાયની ગુરુપરંપરામાં તેમને ગોઠવી દીધાનો આયાસ સ્પષ્ટ રૂપે જણાઈ આવે છે. પરંતુ દિગંબર સંપ્રદાયમાં તેઓ થઈ ગયા હોવાના ઘણાં પ્રમાણો ઉપસ્થિત છે. જૈનેતર વિદ્વાનો પણ
એ જ હકીકતનો સ્વીકાર કરતા આવ્યા છે. ૬. સં. જુગલકિશોર મુખ્તાર, વીરસેવામંદિર-ગ્રંથમાલા, ગ્રંથાંક ૭, સરસાવા ૧૯૫૧. ૭. સં. જુગલકિશોર મુખ્તાર “યુગવીર', વીરસેવામંદિર-ગ્રંથમાલા, ગ્રંથાંક ૬, સરસાવા ૧૯૫૦. ૮. સં. જુગલકિશોર મુખ્તાર ‘યુગવીર વીરસેવામંદિર-ગ્રંથમાલા, ગ્રંથાંક ૫૧, સરસાવા ૧૯૧૦. ૯. સં. જુગલકિશોર મુખ્તાર “યુગવીર' વીરસેવામંદિર-ગ્રંથમાલા, દ્વિતીય સંસ્કરણ, વારાણસી ૧૯૭૮. ૧૦. આ ગ્રંથોનો દર્શનશાસ્ત્રના વર્તમાન જૈન-જૈનેતર વિદ્વાનો ઉપયોગ પણ કરે છે. ૧૧. ખાસ કરીને સ્તુતિવિદ્યા, જેમાં તેમણે અનેક પ્રકારના યમકો, ચિત્રબદ્ધ કાવ્યોનો ઉપયોગ કર્યો છે ત્યાં તો
અર્થઘટન ટીકાની મદદ વગર પ્રાય: અસંભવિત છે. ૧૨. ખાસ કરીને સાહિત્યિક સાધનોમાં–જે થોડાં ઘણાં છે તે સૌ પાછલા યુગનાં છે તેમાં આ સંબંધમાં કોઈ
'જ નોંધ પ્રાપ્ત થતી નથી. ૧૩. તેમના પરિવારની–જો તે હશે તો–કોઈ ગુર્નાવલી પ્રાપ્ત નથી થઈ. ૧૪. તેઓ કેરળમાં થઈ ગયેલા એવો પણ એક તર્ક છે, અને બીજો તર્ક તેઓ ચોલમંડલમાં થયા હતા તે પ્રકારે
છે. બેમાંથી એક પણ સાચો હોય તો એ પ્રદેશોમાં તો જૈન અભિલેખો જ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. કર્ણાટકમાં થઈ ગયા હોત તો એમના વિશે જૂના સમયની કંઈક માહિતી મળવાની સંભવિતતા રહેત; પણ એ વાત તો તેઓ મઠવાસી હતા કે સંવિગ્નવિહારી તે પર નિર્ભર રહે.
૧૫, મદ્ર સનત્તમદ્રથ પૂજ્યપાદ0 સન્મત: |
अकलंक गुरोर्भूयात् शासनाय जिनेशिनः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org