SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સમતભદ્રનો સમય ૪૧ આધિભૌતિક શક્તિઓ)ની માંત્રિક ઉપાસના ગુપ્ત કાળથી થવા લાગી અને તેમાં વળી સરસ્વતી, લક્ષી અંબિકા, પછી વૈરોટ્યા, પદ્માવતી, વાલામાલિની, ચક્રેશ્વરી, ઈત્યાદિ દેવીઓનો સમાવેશ થયો અને મંત્રગર્ભિત તેમ જ તંત્રગર્ભિત પ્રાકૃત-સંસ્કૃત સ્તોત્રો પણ જૈન આચાર્યો-મુનિઓ દ્વારા નવમી-દશમી શતાબ્દીથી નિઃસંકોચ રચાવા લાગ્યા ! પોતાને નિર્ભીક રીતે, જરાયે આંચકો ખાધા વિના દૈવજ્ઞ અને ભિષશ્વર જ નહીં, માંત્રિક અને તાંત્રિક હોવાનું પ્રગટ કરનાર સમતભદ્ર એ યુગમાં થયા છે કે જ્યારે ત્યાગમાર્ગી, મહાનું મનાતા મુનિવરો પણ, એ નિષિદ્ધ પંથે ચડી ગયેલા; અને એ સમય ઐતિહાસિક-સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં તો છઠ્ઠા સૈકાથી પૂર્વેનો હોય તેવું ભાસતું નથી. જે વસ્તુ આગમ-યુગમાં નિર્ચન્થ મુનિઓ માટે લાંછનરૂપ મનાતી તે જ વસ્તુ ગૌરવપ્રદ અને ભૂષણરૂપ ગણાતી હશે તે યુગમાં સમતભદ્ર થયા છે : અને તે સમયે છઠ્ઠા-સાતમા શતક પૂર્વેનો જણાતો નથી, જે કાળે શ્વેતાંબરોમાં “ચૈત્યવાસ” અને યાપનીયો તેમ જ દિગંબરોમાં પણ “વસતિવાસ” કિવા “મઠવાસ” પ્રવેશી ચૂકેલો. - (૪) સમંતભદ્રની કૃતિઓના પરીક્ષણ પહેલાં એક અન્ય મુદ્દો જોઈ લઈએ. દાક્ષિણાત્યાચાર્ય ઇંદ્રનંદી સ્વકૃત કૃતાવતાર(દશમી શતાબ્દી અંતભાગ)માં જણાવે છે કે આચાર્ય ધરસેનના (વિદ્યા) શિષ્યો પુષ્પદંત-ભૂતબલિ રચિત પદ્ધષ્ઠાગમ પર ક્રમશઃ કુંદકુંદાચાર્ય (પરિકર્મ-ટીકા), શામકુંડ, તુંબલૂરાચાર્ય (ચૂડામણિ-ટીકા), સ્વામી સમતભદ્ર (જીવઠ્ઠાણ), અને સ્વામી વીરસેને (ધવલા) વૃત્તિઓ રચી છે. ધરસેનનો સમય ઈસ્વીસની પાંચમી શતાબ્દીના ઉત્તરાર્ધથી વહેલો જાય તેમ નથી. ટીકાઓનો સમય મૂળ કૃતિ બાદનો જ સંભવે; એથી કુંદકુંદાચાર્યે જો પરિકર્મ-ટીકા રચી હોય તો તે પ્રમાણ, અને અન્ય પ્રમાણોના આધારે તેમનો સમય પણ સમંતભદ્રના સમયની જેમ ઈસ્વીસન્ના છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધથી ભાગ્યે જ પૂર્વેનો હોઈ શકેપ૭. તુંબલૂરાચાર્ય અને શામકુંડાચાર્યની ટીકાઓ કન્નડ ભાષામાં હોવાનું ઇંદ્રનંદી કહે છે. શિષ્ટ કન્નડ ભાષાના અસ્તિત્વનું ઈસ્વીસની પાંચમી શતાબ્દી પૂર્વેનું કોઈ જ પ્રમાણ નથી. કન્નડમાં બૃહક્કાય અને ઊંડાણભરી ટીકાઓ ત્યારે જ રચી શકાય કે જ્યારે ભાષા ઠીક ઠીક પ્રમાણમાં વિકસી ચૂકી હોય. “શામકુંડ” અને “તુંબલૂર’ ગામનાં નામ છે; અને ગામના નામ પરથી વ્યક્તિનાં ઓળખ-અભિધાન થતાં હોવાની દાક્ષિણ્યાત્ય પ્રથાનું પ્રમાણ ઈસ્વીસની સાતમી શતાબ્દી પૂર્વે જડતું નથી. આ બન્ને ટીકાઓ વહેલામાં વહેલી ઈસ્વીસન્ના છઠ્ઠા શતકના ઉત્તરાર્ધથી લઈ સાતમા શતકના પૂર્વાર્ધ પૂર્વેની હોવાનું કલ્પી શકાતું નથી. સમંતભદ્રની ટીકા ઇંદ્રનંદી ક્રમમાં ઉપર્યુક્ત બે કન્નડાચાર્યો પછી મૂકતા હોઈ, સમતભદ્ર ઈસ્વીસના છઠ્ઠા-સાતમા શતક પૂર્વે થઈ ગયા હોવાનું દાક્ષિણ્યાત્ય ઐતિહાસિક સાધનોથી જ અસિદ્ધ કરે છે. (જો કે સમંતભદ્રની માનવામાં આવતી આ અનુપલબ્ધ ટીકા ખરેખર રચાઈ હોવાનું મને તો શંકાસ્પદ લાગે છેv૮) નિ. ઐ, ભા. ૧-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy