SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ : ઈસ્વીસન્ના પ્રારંભ સુધીમાં અન્યો દ્વારા રચાયું છે. બીજી વાત એ છે કે ‘જિનસંસ્તવ’થી ચૂર્ણિકારોને ‘લોગસ્સસ્તવ' અભિપ્રેય છે, પણ આ સ્તવ તો આર્ય શ્યામ (પ્રથમ) રચિત પ્રથમાનુયોગ(અનુપલબ્ધ ઃ પ્રાય૰ ઈ સ પૂ ૫૦ - ઈસ્વી પ૦)ના ઉપોદ્ઘાત મંગલરૂપે હોય તેવી જોરદાર શક્યતા છે. (પ્રથમાનુયોગમાં ૨૪ તીર્થંકરોનાં ચરિત્રો હતાં. અને ઉપર્યુક્ત સ્તવમાં ૨૪ જિનોનાં નામ આપી સંક્ષિપ્તમાં સ્તુતિ કરેલી છે.) આ જોતાં દશવૈકાલિકસૂત્રના સંદર્ભગત ‘નમોક્કાર’ અંતર્ગત એમાં પાંચ પાંચ પદો હોવાનું વિવક્ષિત હોય તોપણ આ અધ્યયન શય્યભવના કાળથી ઠીક ઠીક મોડું હોઈ ઉપરની મૂળ ચર્ચામાંથી જે નિષ્કર્ષો કાઢ્યા છે તેને જફા પહોંચતી નથી. ૧૬ ટિપ્પણો ઃ ૧. દુર્ભાગ્યે અમદાવાદની જૈનાદિ સંસ્થાઓમાં પ્રસ્તુત પુસ્તક ન હોઈ અહીં તેનો સંદર્ભ ટાંકી શકાયો નથી. પ્રસ્તુત પુસ્તક અંગ્રેજી પ્રસ્તાવના સમેત (સ્વ) નથમલ ટાટિયા દ્વારા સંપાદિત થઈ, મોટે ભાગે નાલંદા (કે પછી વૈશાલી) સંસ્થાન તરફથી પ્રકટ થયું હોવાનું આછું સ્મરણ છે. ૨. આ ‘નોકા૨’ પરથી ‘નોકારશી' શબ્દ ઊતરી આવેલો છે. ૩. આ પદો દિગંબર પરંપરામાં પણ, અલબત્ત શૌરસેની સ્પર્શ સહિત, પ્રચારમાં છે. ૪. નિર્યુક્તિ સંગ્રહ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક : ૧૮૯, સં વિજયજિનેન્દ્રસૂરિ, લાખાબાવળ ૧૯૮૯, પૃ. ૯૯, ગાથા-૧૦૧૮. ૫. H. D. Sankalia, “Earliest Jain Inscription from Maharastra," Mahavira and His Teachings, Eds : A. N. Upadhye et al, Bombay 1977, P. 394. ૬. પં૰ વિનયમૂર્તિ, નૈન શિતાનેવસંપ્રદ : દ્વિતીય ભાગ, માણિકચંદ્ર-દિગમ્બર-જૈન ગ્રંથમાળા-પુષ્પ-૪૫ મુંબઈ, વિ. સં. ૨૦૦૯, ઈ. સ. ૧૯૫૨, પૃ ૧૭ લેખાંક ૧૪-૧૫, પૃ. ૪૮ લેખાંક, ૭૧-૭૨-૭૩ પૃ. ૫૧ લેખાંક ૮૦. ૭. એજન પૃ ૪ લેખાંક ૨. ૮. વિયાહપણત્તિસુત્ત, પ્રથમ ભાગ, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૪ (ભાગ ૧) સંત પં૮ બેચરદાસ જીવરાજ દોશી, મુંબઈ ૧૯૭૪, પૃ. ૫૦૧. ૯. ટિપ્પણ ૧ મુજબ. ૧૦. વર્તમાને તો સર્વત્ર આ ખોટો અર્થ જ પ્રચારમાં છે. ૧૧. જુઓ ઉત્તરાયળારૂં, જૈન આગમ-ગ્રંથમાલા ગ્રંથાંક ૧૫, સં. મુનિ પુણ્યવિજય, મુંબઈ ૧૯૭૭, પૃ ૧૬૬, ૧૭-૪-૫ ઇત્યાદિ. ૧૨. વ્યવહારસૂત્રના વિનય સંબદ્ધ કેટલાંક કથનો. ૧૩, આવશ્યકચૂર્ણિમાં નમોસ∞ સાધુનું એવો પાઠ મળે છે. સોળે શબ્દ છોડી દીધો છે, કદાચ એટલા માટે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy