SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર-મંગલ' તથા अरहंताणं तु नमो नमोऽत्थु सिद्धाणं तह य सूरीणं । उवज्झायाणं च नमो नमोऽत्थु सव्वेसि साहूणं ॥ इय पंचनमोक्कारो पावाण पणासणी असेसाणं । तो सेसं चइऊणं सो गज्झो मरणकालम्मि ॥ -आराधनापताका, ९०३-९०४ (અહીં બીજા દૃષ્ટાન્તમાં ‘આચાર્ય’ને સ્થાને ‘સૂરિ’ શબ્દનો પ્રયોગ થયો છે તે વાત પણ નોંધપાત્ર છે. રચના મધ્યકાલના પ્રારંભની કે તે પૂર્વની હોવાનો સંભવ છે.) Jain Education International ૧૫ આ ગાથાઓના સર્જકોને સજા થઈ હોય તો તેના નિર્દેશ પ્રાપ્ત નથી. સંભવ છે કે પ્રાકૃતમાં ગુંફન કરવાને કારણે આ પ્રવૃત્તિ એટલી અપરાધપાત્ર નહીં ગણાઈ હોય, જેટલી સંસ્કૃતમાં સમાસ રૂપે પ્રસ્તુત કરવામાં હોય. (આમાંથી આરાધનાપતાકાની બે ઉપર્યુક્ત ગાથાઓ અભયદેવસૂરિ વિરચિત આરાધનાપ્રકરણમાં પણ [ગાથા ૭૮-૭૯ રૂપે] મળી આવે છે : ત્યાં શખ્શો ને બદલે તેયો રૂપ છે)૨૯. પરિશિષ્ટ મૂળ લેખ તો પંદરેક વર્ષ પૂર્વે તૈયાર થઈ ગયેલો, પણ થોડો અધૂરો હતો એટલે પ્રકાશનાર્થે ક્યાંય મોકલ્યો નહોતો. દરમિયાન સાધ્વી સુરેખાશ્રીજીનો “પંચપરમેષ્ઠિ મન્ત્ર જા ઋતૃત્વ ઔર શવૈકાતિ'' નામક લેખ શ્રમળ વર્ષ ૪૨, અંક ૭-૧, વારાણસી જુલાઈડિસેમ્બર ૧૯૯૧, પૃ. ૧-૧૦ પર પ્રકાશિત થયેલો જોવા મળ્યો. તેમાં તેમણે દશવૈકાલિકસૂત્ર ૫.૧.૧૨૪નું ચરણ ઉદંકિત કર્યું છે, જે મહત્ત્વનું છે : યથા : णमोक्कारेण पारेत्ता करेत्ता जिनसंथवं । : એનો પૂર્વાપ૨સંબંધ જોતાં નનસ્કારમંગલથી કાયોત્સર્ગ પારવાની વાત છે અને તે પછી ‘જિનસ્તવ’ કહેવાની વાત પરિલક્ષિત છે. અગસ્તયસિંહની દશવૈકાલિક-ચૂર્ણિ (પ્રાય ઃ ઈસ્વી ૫૭૫-૫૬૦) અને દશવૈકાલિકની દ્વિતીય ચૂર્ણિ(પ્રાયઃ ઈસ્વી ૬૭૫-૭૦૦)માં આપેલું વિવરણ પણ ઉપર્યુક્ત અર્થઘટનનું સમર્થન કરે છે. પણ આમાં બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે : (૧) ‘નમસ્કાર’થી ત્યાં પૂરા પાંચ પદનું મંગલ હોવાનું સૂચિત છે ખરું ? (૨) દશવૈકાલિક સૂત્ર આર્ય શષ્યભવ(કે સ્વાયંભૂવ)નું રચેલું મનાય છે. એથી તેનો સમય ઈસ્વીસન્ પૂર્વે ચોથી શતાબ્દીના પૂર્વાર્ધનો ઠરે. પરંતુ મેં અન્યત્ર ચર્ચા કરી છે તેમ દશવૈકાલિકસૂત્રના તો પહેલા બે જ અધ્યયન અને તેમાં અન્યત્રે છૂટક પઘો જ આર્ય શય્યભવનાં છે. બાકીનું બધું મૌર્યકાળથી લઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy