SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કરાવેલા ઋષભ જિનેશ્વરના બિંબને લગતું છે, જે પણ માત્ર ‘D’ પ્રતમાં જ મળે છે. પણ એની ભાષા કૃત્રિમ જણાય છે, અને વિમલમંત્રીવાળી વાત ઉપર્યુક્ત પદ્ય ૧૯માં એક વાર આવી ગઈ છે. ૨૨૪ આના પછી તરત આવે છે જાબાલિપુ૨(જાલોર)ના કાંચનિગિર પરના પાર્શ્વજિનેશ્વરનો ઉલ્લેખ કરતું પદ્ય. પ્રસ્તુત જિનનું આલય ગુર્જરેશ્વર કુમારપાળે સં ૧૨૨૨ / ઈ સ. ૧૧૬૬માં બંધાવેલું : પણ તેની પ્રાચીન મહિમાવંત તીર્થોમાં ગણતરી નહોતી થતી. શ્લોક નિપજાવનારે શૈલી મૂળ સ્તવકારની પકડી છે ખરી; પણ આ પદ્ય કેવળ ‘C” પ્રતમાં જ મળે છે. કોઈએ, જાલોર તરફના કે પ્રસ્તુત મંદિર સાથે સંબંધ ધરાવતા વિદ્વાન્ ગોષ્ઠિક કે મુનિએ, તે પદ્ય દાખલ કર્યું હશે. (સ્તવ-રચનાનો સમય તો આ મંદિરના નિર્માણ કાળ પૂર્વે, કેટલાયે દશકાઓ પૂર્વેનો છે, જે વિશે અહીં આગળ ઉપર જોઈશું.) સ્તવના સમાપન પછી, પુષ્પિકારૂપી શ્લોક પછી (એટલે કે ૨૨ પછીથી) આવતું પદ્ય સ્પષ્ટતયા ક્ષેપક છે. એક સમસ્યા ૧૮મી ગાથામાં નાગેન્દ્રાદિ ચાર ગચ્છોએ પ્રતિષ્ઠાવેલ બિંબ સોપારાનું વિવક્ષિત છે કે અર્બુદાચલ પરનું વિમલમંત્રી કારિત પ્રાસાદનું છે તે વાત થોડી સમસ્યાપ્રદ છે. સોપારા તેમ જ અર્બુદાચલવાળી એમ બન્ને તીર્થોની આદિનાથની પ્રતિમા ચાર ગચ્છોના આચાર્યોએ પ્રતિષ્ઠાવેલી તેવી વાતો મધ્યકાલીન સાહિત્યમાં નોંધાયેલી છે. અહીં B’ અને ‘C” પ્રતોમાં સોપારકને સ્થાને ‘અર્બુદકૃત’ શબ્દ છે. જ્યારે ‘D’માં અહીંના ક્રમમાં આપેલ ૧૯-૨૦ પદોને સ્થાને અહીં ગાથા ૧૯ બાદ કૌંસમાં મૂકેલી અર્બુદવાળી ક્ષેપક ગાથા જોવા મળે છે. તો આમાં સાચી વાત શું હોઈ શકે તે વિચારવા જેવું છે. ચાર આચાર્યો વિશે કહ્યા બાદ બે પ્રતોમાં (B’ અને ‘C’ માં) મળતા “અર્બુદકૃત” શબ્દમાં છંદોભંગ હોઈ ‘A’ પ્રતમાં છે તેમ ‘સોપારક’ હોવું વિશેષ સમીચીન જણાય છે : ‘D’ પ્રતવાળા લિપિકા આ અસામંજસ્યથી અનભિજ્ઞ નહોતા, એટલે તેમણે તો એ આખું પદ જ ઉડાડી કેવળ આબૂને લગતી નવીન જ ગાથા રચી મૂકી દીધી છે. સ્તવકાર નાશિકની વાત કર્યા બાદ આ વાત કરતા હોઈ, ભૌગોલિક દૃષ્ટિએ આબૂ કરતાં સોપા૨ક સ્થાન વધારે બંધ બેસે છે. આની સાથે તરત જ વિમલમંત્રીકારિત અર્બુદશિખર પરના બિંબની વાત સ્તોત્રકારે વણી લીધેલી છે અને સોપારા પછી, સોપારાની જેમ ચાર આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવેલ આબૂ ૫૨ વિમલમંત્રીએ કરાવેલા ઋષભ જિનના બિંબની વાતને, તુરત જ ‘વિશેષકો જયતિ’ ઉલ્લેખ દ્વારા સમાવી લીધી છે. આ આખી ગરબડ સોપારા તેમ જ આબૂમાં ચારે પ્રાચીન કુલના આચાર્યોએ કરાવેલ પ્રતિષ્ઠાની એક સરખી અનુશ્રુતિ પરથી થવા પામી છે : સંદર્ભગત ગાથામાં ‘સોપારક’ હોવું વિશેષ ગ્રાહ્ય જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy