________________
૧૭૬
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
છું એવું કુમારપાળના મુખે કહેવડાવ્યું છે (જુઓ દેશાઈ, પૃ. ૨૫૭). ત્રિશપુચના “મહાવીરચરિત” અંતર્ગત કુમારપાળ સંબદ્ધ રજૂ કરાયેલ ભવિષ્યવાણી(પર્વ ૧૦, સર્ગ ૧૧-૧૧)માં કહ્યું છે કે અનહદ વૈભવશાળી તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામમાં જિનાયતન દ્વારા પૃથ્વીને આભૂષિત કરશે; (જુઓ પે લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખ સંગ્રહ, શ્રીસયાજી સાહિત્યમાળા, પુષ્પ ૩૩૫, વડોદરા ૧૯૬૩,
પૃ. ૨૬૬). ૧૩. કુમારપાળના જૈનધર્મ સ્વીકારની મિતિ તપાગચ્છીય જિનમંડન ગણિએ કુમારપાલપ્રબંધ (સં. ૧૪૯૨ |
ઈ. સ. ૧૪૩૬)માં સં. ૧૨૧૬ | ઈસ. ૧૧૬૦ની આપી છે જેને મહદ્અંશે સમકાલીન ગ્રંથકાર મંત્રી યશપાલના મોહપરાજય(પ્રાય: ઈસ્વી ૧૧૭૨-૭૪)નો ટેકો છે. પણ આ વાતનો કુમારપાળે જૈન શ્રાવકનાં વ્રતો ધારણ કરેલાં એટલો જ અર્થ ઘટાવવાનો છે. ૧૧૬૦ના તુરતના કોઈ વર્ષમાં તેણે સૌરાષ્ટ્ર
સ્થિત જૈનોનાં મહિમ્ન તીર્થધામો, ગિરનાર-શત્રુંજયાદિની યાત્રા કરેલી. ૧૪. જુઓ મુનિ પુણ્યવિજયજી, Catalogue., p. 356. થથા પતકિમતો દિપંનિઝર્ષે તે પ્રત્તને મુખ્ય
शोधित्वान् नृपाक्षपटलाध्यक्ष: कुमारः कविः ।२९'। ૧૫. આવી ધારણા સંભવતઃ સૌ પ્રથમ ડૉ. ભોગીલાલ જેચંદ સાંડેસરાએ પ્રકટ કરેલી. (જુઓ એમનું
મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો, અમદાવાદ ૧૯૫૭, પૃ. ૬૬) સાંડેસરાને અનુસરીને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી પણ તેવું જ કહે છે (જુઓ “નામાંકિત કુલો અને અધિકારીઓ ગુરા. સાંઇ, ગ્રંથ ૪, (સોલંકીકાળ), અમદાવાદ, ૧૯૭૬, પૃ. ૭ અને ૧૧૬) યથા કુમારે ગુર્જર રાજયના અક્ષપટલાધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી ને મુનિચંદ્રસૂરિકત અમમસ્વામિચરિતનું સંશોધન કર્યું હતું. “પ્રસ્તુત સંકલનગ્રંથમાં “ભાષા અને સાહિત્ય” વિભાગમાં (પ્રકરણ ૧૨, પૃ. ૨૭૦) પં. અંબાલાલ પ્રેમચંદ શાહ પણ લખે છે કે “સોમેશ્વરના પિતા કુમારે (સં. ૧૨૫૫ | ઈ. સ. ૧૧૯૯માં) આ. મુનિરત્નસૂરિએ રચેલા અમમસ્વામિચરિતનું સંશોધન કર્યું
હતું.” ૧૬. સોમેશ્વર લખે છે કે રણમાં ઘાયલ થયેલ અજયપાળને કટુકેશ્વરદેવની આરાધના કરીને કુમારે સાજો કરેલો.
ગ્રહણ સમયે અજયપાળે આપવા માંડેલ રત્નરાશિનો સ્વીકાર કરેલો નહીં. મૂલરાજ દ્વિતીયના સમયમાં દુષ્કાળ પીડિત ગ્રામજનોનો કર માફ કરાવેલો અને (ભીમદેવ દ્વિતીયના સમયમાં) સેનાપતિ બની
માલવપતિ વિમ્બવર્માનો પરાભવ કરેલો. ૧૭. જુઓ મુનિ પુણ્યવિજય, GOs, 135, p. 351. ૧૮. જિતેન્દ્ર શાહ અને મારા દ્વારા લિખિત માનતુંવાર્ય ર ૩ન સ્તોત્ર (અમદાવાદ ૧૯૯૭,
હિ. સં. ૧૯૯૯)ની હિદી પ્રસ્તાવનામાં આ મિતિનો યથોચિત ઉપયોગ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org