________________
૧૧૬
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
અને વીસભુજાયુક્ત “યક્ષાધિપ (ગણિપિટક યક્ષ)નું સ્મરણ કરેલું છે, તેમ જ શાસનદેવતાઓને પણ ત્યાં સ્મર્યા છે. બીજી બાજુ શાસનદેવતાઓનો વિભાવ ઈસ્વીસના નવમા શતકના ઉત્તરાર્ધ પહેલાં જોવામાં આવતો નથી, ને જૈનોમાં અતિભુજાયુક્ત દેવોની કલ્પના પણ નવમા શતકના મધ્યભાગ પૂર્વેની નથી. આથી પ્રસ્તુત સ્તોત્ર આર્ષ રચના નથી જ. આવી સ્થિતિમાં તેને ઈસ્વીસના આરંભમાં મૂકવાની ચેષ્ટા નિરાધાર જ ઠરે છે. કાવ્યના રંગ-ઢંગ તેમ જ શૈલીનો મુદ્દો પણ ઉપર ચર્ચા ગયા તેમ મધ્યકાલીન જ છે. આમ સ્તવને ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકવા માટે કોઈ જ બાધક પ્રમાણ નથી, સૌ પ્રમાણો તે નિર્ણયનાં સાધક છે.
સ્તવના સમયવિનિશ્ચય બાદ તેના કર્તા મનાતા વજસ્વામી સંબંધમાં નિર્ણય લેવાનો રહે છે. કર્તા ખરેખર વજસ્વામી નામધારી કોઈ મુનિ હોય તો તેઓ પ્રાચીન આર્ય વજ તો ન જ હોઈ શકે : કોઈ બીજા જ, મધ્યકાલીન, વજાચાર્ય હોવા જોઈએ. જેમ દ્વિતીય શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા તરંગવતીકાર પાદલિપ્તસૂરિ પશ્ચાત્ એ જ નામધારી બે અન્ય સૂરિવરો થઈ ગયા છે૧૦, જેમ પ્રાચીન આર્ય વજના એક શિષ્ય, લાટવિહારી વજસેનનું અભિધાન ધરાવતા મધ્યયુગમાં પણ એક વજસેન થઈ ગયા છે", તેમ વજસ્વામી નામયુક્ત બીજા, પણ મધ્યકાલીન, મુનિવર થઈ ગયા હોવાની વાત પ્રથમ દૃષ્ટિએ તો નકારી શકાય નહીં.
આ સંબંધમાં ગવેષણા ચલાવતાં આ અન્ય વજસ્વામીની મધ્યકાળ અંતર્ગત ભાળ મળે છે. તેમાં પુરાતનપ્રબંધસંગ્રહ (૧૫મું શતક)ના બે પ્રબંધો અનુસાર, કહેવાતા ધનેશ્વરસૂરિના શત્રુંજયમાહાભ્ય (ઈ. સ. ૧૩૨૯ બાદ અને ઈ. સ. ૧૪૫૫ પહેલાં૩)નાં વિધાનો અનુસાર, ઉપકેશગચ્છીય કક્કસૂરિકૃત નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ (સં. ૧૩૯૩-ઈ. સ. ૧૩૩૭)ના કથન પ્રમાણે, તેમ જ ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતર્ગત
ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પ'ના કથન અનુસાર વજસ્વામીએ શત્રુંજય પર આદિનાથની પ્રતિષ્ઠા કરેલી. ઉપર્યુક્ત ગ્રંથોમાં દીધેલ કથાનકો અનુસાર પ્રસ્તુત પ્રતિષ્ઠા મધુમતી (મહુવા)ના કાવડિ શ્રેષ્ઠીએ વિ. સં. ૧૦૮ | ઈ. સ. પરમાં કરાવેલી. આ ઉલ્લેખ જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંદરના “શત્રુંજય તીર્થકલ્પ” (સં. ૧૩૮૫, ઈ. સ. ૧૩૨૯) અતિરિક્ત ઈ. સ. ૧૩૧૫ પશ્ચાતુ અને ૧૩૨૪ પૂર્વ રચાયેલ વિજયચંદ્રસૂરિની શત્રુંજય મહાતીર્થત્યપરિપાટિકામાં પણ મળે છે. વાઘેલાકાલીન બે સંસ્કૃત કૃતિઓ, કવિ બાલચંદ્રનું વસંતવિલાસ (ઈ. સ. ૧૨૩૯ પશ્ચાત્ તુરતમાં) ૫ અને તેનાથી થોડાંક વર્ષો પૂર્વે રચાઈ ગયેલ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિ-શિષ્ય ઉદયપ્રભસૂરિની સુકૃતકીર્તિકલ્લોલિની (આ. ઈ. સ૧૨૩૦)માં તથા તેમના ધર્માભ્યદયમહાકાવ્યમાં શત્રુંજયતીર્થના પુનરુદ્ધારની મિતિ તો નહીં પણ તીર્થના ઉદ્ધારકોમાં પ્રાગ્વાટકુલના જાવડનું નામ ગણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org