________________
‘ગૌતમસ્વામિસ્તવ’ના કર્તા વજસ્વામી વિશે
આથી ગૌતમસ્વામિસ્તવના કર્તારૂપે આર્ય વજ્ર હોવાનું તો ઉપલબ્ધ તમામ ઐતિહાસિક પ્રમાણોથી વિરુદ્ધ જઈને જ માની શકાય.
(૨) આર્ય વજ્રની એ કૃતિ હોવાની વિરુદ્ધમાં તો સ્તવમાં જ અનેક પ્રમાણો છે. સ્તવનો વિશિષ્ટ પ્રકાર સામાસિક ઢાંચો, તેમાં વરતાતો માંજુલ્યનો આગ્રહ, માર્દવ સમેતના આલંકારિક લાલિત્યનો ડગલે ને પગલે સ્પર્શ—આમ કાવ્ય-કલેવરનો સમગ્ર વિભાવ તેમ જ શબ્દોની પસંદગી, છંદોલય અને પદ્યગુંફનમાં પ્રાચ્યતાનો પૂર્ણતયા અભાવ—તેને ઈસ્વીસન્ના આરંભકાળની કૃતિ માનવાની વાત તો એક બાજુએ રહી પણ તે પ્રાક્ર્મધ્યકાલીન હોવાની પણ ના પાડે છે ! સિદ્ધસેન દિવાકર (ઈસ્વીસન્ની પાંચમી શતાબ્દી પૂર્વાર્ધ), હારિલ વાચક (પાંચમો-છઠ્ઠો સૈકો), સમંતભદ્ર (છઠ્ઠી-સાતમી સદી), માનતુંગાચાર્ય (છઠ્ઠો-સાતમો સૈકો), પૂજ્યપાદ દેવનંદી (આ ઈ. સ. ૬૨૫-૬૮૦), યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ તેમ જ ભદ્રકીર્તિબપ્પભટ્ટસૂરિ (આઠમું શતક) ઇત્યાદિ શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયના મધ્યકાલીન મહાન્ તત્ત્વજ્ઞ-સ્તુતિકારોની કૃતિઓ સાથે સરખાવતાં આ વાત સ્પષ્ટ બની રહે છે. બીજી બાજુ વિજયસિંહાચાર્યની નેમિસ્તુતિ (આ ઈ સ ૧૦૨૦-૫૦)* તેમ જ સોલંકીસમ્રાટ કુમારપાલ(ઈ. સ. ૧૧૪૪-૭૪)ના સમય પૂર્વે રચાઈ ગયેલી, ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ આદિ મધ્યકાનીલ મહાન્ સ્તુતિકારોની પ્રસિદ્ધ જૈન સ્તોત્રાદિ રચનાઓ સાથે તુલના કરતાં પ્રકૃત ગૌતમસ્વામિસ્તવ એ જ વર્ગનું, એવી જ સમસાધારણ શૈલીનું, અને એ જ કાળમાં રચાયેલું છે તેમ તુરત જ પરખાઈ આવે છે. આ સ્તુતિ-કાવ્યની ઉદ્યોતક૨-પ્રસન્નકર ગુણવત્તાની ઉત્કૃષ્ટતાને લક્ષમાં લઈએ તો તે ઈસ્વીસન્ની ૧૨મી શતાબ્દીથી તો પહેલાંનું, મોટે ભાગે ૧૧મીના પૂર્વાર્ધનું હોવાની સહસા છાપ પડે છે.
૧૧૫
(૩) સ્તવ મધ્યકાલીન હોવાનું શૈલી અતિરિક્ત તેની ભીતર રહેલી વસ્તુના પરીક્ષણથી પણ સિદ્ધ થાય છે. પહેલી વાત એ છે કે સ્તવ ગણધર ગૌતમની કોઈ પ્રસિદ્ધ પ્રતિમાને ઉદ્બોધીને રચાયું છે. ગૌતમ લબ્ધિશાળી—સિદ્ધિસંપન્ન—મુનિવર હતા તેવી માન્યતા તો પશ્ચાત્કાલીન આગમિક સાહિત્યમાં આવી ગયેલી, પણ તેઓ ‘ચારણલબ્ધિ’ના પ્રભાવે દુર્ગમ એવા અષ્ટાપદપર્વત પર પહોંચી, ભરતચક્રી કારિત ઋષભાદિ ચતુર્વિશતિ જિનોના પ્રાસાદની યાત્રા કરી આવેલા એવી કિંવદંતી વિશેષે ઈસ્વીસના નવમા શતકથી જ વહેતી થયેલી, અને ત્યારથી તેમનો મહિમા વધ્યો અને એ કારણસર જિન તેમ જ અંબિા સરખી યક્ષીની મૂર્તિઓ સાથે તેમની પ્રતિમાઓ પણ ઉપાસનાર્થે બનવા લાગી હોય તેમ જણાય છે. ગૌતમને સ્તવના પ્રથમ પદમાં ૧૦૦૮ પાંખડીવાળા સુવર્ણકમલ ૫૨ આસનસ્થ બતાવ્યા છે, જે કલ્પના સ્પષ્ટતયા મધ્યકાળની જ છે, અને છેલ્લા (૧૨મા) પદ્યમાં જે દેવતાઓનું કર્તાએ સ્વશ્રેયાર્થે આહ્વાન કર્યું છે તેમાં ‘નગેશ્વરી’ (અનુસાર સૂરિમંત્રમાં ઉલ્લિખિત મહાલક્ષ્મી,)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org