________________
વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ
૭૫
વરના મંદિર વિશેનું એક પશ્ચાત્કાલીન પણ સમર્થક પ્રમાણ આપી રહે છે.
ગોપગિરિથી મળેલ જિન પ્રતિમાઓમાં જેનો સમય બપ્પભટ્ટનો હોઈ શકે તેવી બે પ્રતિમા–જિન ઋષભ, અન્ય જિન તથા અતિ પાર્શ્વ–નાં ચિત્રો (ક્રમાંક ૨ તથા ૩ માં) રજૂ કરું છું, અને વસ્તુપાળના સમયમાં મૂકી શકાય તેવો ત્યાંથી મળેલ એક જિનપ્રતિમાનો શિલાખંડ ચિત્ર ૪માં પ્રસ્તુત કર્યો છે. આદિનાથની અને સાથેની એવા પરિકર્મવાળી ઉપર કથિત, પ્રશમરસ-દીપ્ત, પ્રતિમા કદાચ મંદિરના બહિર્ભાગે કટિ પર કંડારી હશે, જ્યારે પાર્શ્વનાથવાળું બિંબ અખંડ હશે ત્યારે કાયવ્યત્સર્ગ-મુદ્રામાં જિનને રજૂ કરતું હશે, અને તે ઉપાસ્ય પ્રતિમા હશે.
મથુરામાં બપ્પભટ્ટસૂરિએ જે સુકૃતો કરાવેલાં તેની નોંધ “મથુરાપુરીકલ્પ”માં જિનપ્રભસૂરિએ લીધી છે. પહેલી નોંધમાં કહ્યું છે કે વીર નિર્વાણના ૧૨૬૦ વર્ષે (ઈ. સ. ૭૩૩માં) બપ્પભટ્ટિસૂરિ થયા; તેમણે (મથુરા તીર્થનો) ઉદ્ધાર કરાવ્યો, પાર્શ્વજિનની પૂજા કરાવી, ને ઈંટના સૂપને પથ્થરથી મઢાવ્યો, કુપવાડીનાં નિર્માણ કરાવ્યાં, ઇત્યાદિ :૦૩
तओ वीरनाहे सिद्धं गो साहिहिं तेरसहिं वरिसणं बप्पभट्टिसूरी उप्पणणो तेण वि.अयं तित्थं उद्धरिअं । पासजिणो पूआविओ । सासयपूअकरणत्थं काणणकूवकोट्टा काराविआ । चउरासीई अणीओ दाणिआओ । संधेणइदाओ रवसंतीओ मुणित्ता पत्थरेहिं वेढाविओ उक्खिल्लाविउमाढत्तो थूभो । देवयाओ सुमिणंतरे वारिओ । न उग्घाडेयघो असु त्ति । तओ देवयावयणेणं न उग्घाडिओ, सुघडिअपत्थरेहिं परिवेढिओ अ ।
બીજી નોંધમાં કહ્યું છે કે આમરાજ જેના (ચરણકમલ સેવે છે તેવા?) બપ્પભષ્ટિએ વિ. સં. ૮૨૬ (ઈ. સ. ૭૭૦)માં મથુરામાં વીરબિંબ સ્થાપ્યું : યથા :
गोवालगिरिमि जो भुंजेइ तेण आमरायसेविअकमकमलेण सिरिबप्पहट्टि - सूरिणा अट्ठसयछव्वीसे (८२६) विक्कमसंवच्छरे सिरिवीरबिंब महुराओ छाविअं ।
મથુરાનો સૂપ જ્યાં હતો તે કંકાલીટીલામાંથી, તેના પરિસરમાં તેમ જ મથુરામાંથી અન્યત્રે મળેલી જૈન પ્રતિમાઓમાં કોઈક શકકાલીન, પણ ઘણીખરી કુષાણકાલીન, અને થોડીક ગુપ્તકાલીન તેમ જ મધ્યકાલીન છે, પણ એક પ્રતિમા એવી છે કે જેને આઠમા શતકના ઉત્તરાર્ધમાં મૂકી શકાય. ચિત્ર “૧માં રજૂ કરેલા જિન અરિષ્ટનેમિની પદ્મપ્રભાવલીયુક્ત પણ શીર્ષવિહીન) પ્રતિમામાં પદ્માસનસ્થ જિનની આજુબાજુ વિભૂતિ રૂપે, મહાપ્રાતિહાર્ય રૂપે, બે ચામરધારો હોવા અતિરિક્ત શક-કુષાણ કાળથી ચાલી આવતી મથુરા-પરિપાટી અનુસાર વાસુદેવ તેમ જ બલદેવની ચતુર્ભુજ આકૃતિઓ પણ કોરી છે, તદુપરાંત પશ્ચિમ ભારતની જિનપ્રતિમા–પ્રથા અનુસાર નીચે સર્વાનુભૂતિ યક્ષ તેમ જ સિંહારૂઢા યક્ષી અંબિકા પણ બતાવ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org