SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ છે, જે સૂચક છે. બપ્પભટ્ટિ અહીં આવ્યા હશે ત્યારે વીર-બિંબ સિવાય આ જિન અરિષ્ટનેમિની પ્રતિમા પણ કાં તો એમણે, કે પ્રતિષ્ઠા અવસરે એમના અનુરોધથી યા અન્યથા એ સમયે કોઈ શ્રાવકે ભરાવી હોય તો બનવાજોગ છે. ૭૬ લેખ સમાપન સમયે હવે એક મુદ્દાનું નિરાકરણ થવું જરૂરી છે. બપ્પભટ્ટિસૂરિ સાથે દિગંબર સંપ્રદાયમાં હોવા ઘટે તેવાં કેટલાંક તત્ત્વો જોડાયેલાં છે : યથા : (૧) કીર્ત્યાન્ત નામો દિગંબર(તથા યાપનીયસંધ)ના મુનિવરોમાં જાય છે, શ્વેતાંબર આમ્નાયમાં ચોથી-પાંચમી શતાબ્દી બાદ આમ તો જોવા મળતાં નથી૫ : એમનું ‘ભદ્રકીર્તિ’ નામ જરા વિચારમાં નાખી દે છે. (૨) ગ્વાલિયર દિગંબર સંપ્રદાય સાથે સાંકળતા ૧૫મા શતક પૂર્વેનાં સાહિત્યિક પ્રમાણો હજી સુધી તો મળ્યાં નથી, પણ જેટલી પુરાણી તેમ જ મધ્યકાલીન જિનપ્રતિમાઓ ત્યાંથી મળી છે તે સૌમાં નગ્નત્વ સૂચિત છે જ. બીજી બાજુ જોઈએ તો જોરદાર અને વધારે પુરાણાં સાહિત્યિક પ્રમાણો તો શ્વેતાંબર સંપ્રદાયને ગોપગિરિ સાથે સાંકળે છે. એવું હશે કે મથુરાની જેમ અહીં પણ શ્વેતાંબરોએ જિનપ્રતિમાઓ નિર્વસ્ત્ર રૂપે રજૂ કરવાની અન્યથા પાંચમા શતકના અંતિમ ચરણ પૂર્વેની ઉત્તરની મુખ્ય નિર્પ્રન્થ ધારાની પુરાણી પરંપરા ચાલુ રાખી હશે ? શું લાટ દેશમાં શરૂ થયેલી અને પછીથી સાતમા શતકમાં તો ગૂર્જરદેશ સુધી પહોંચી ગયેલી, તીર્થંકરોને કટિવસ્ત્ર (ધોતિયાં) સહિત પ્રસ્તુત કરવાની, પ્રણાલિકા હજુ દશાર્ણાદિ મધ્યપ્રદેશના પંથકોમાં અને શૂરસેનાદિ ઉત્તરના પ્રદેશોમાં શ્વેતાંબરોને માન્ય નહીં બની હોય ? ગમે તે હોય, નવમી શતાબ્દીના પ્રથમ ચરણના અરસામાં સંગ્રહકાર શંકુક તથા ૧૧મી સદીના પ્રારંભમાં મહાકવિ ધનપાલ તો બપ્પભટ્ટિને શ્વેતાંબર સાધુ રૂપે જ માનતા હતા, અને ૧૧મા શતકના ઉત્તરાર્ધમાં, વિલાસવઈકાર, યશોભદ્રસૂરિગચ્છીય શ્વેતાંબર મુનિ સિદ્ધસેન સ્વગચ્છને બપ્પભટ્ટિસૂરિ સાથે સાંકળે છે, તેમ જ ઈ સ ૧૧૭૩નો ધાતુપ્રતિમા લેખ તેમનો સંબંધ ચૈત્યવાસી શ્વેતાંબર મોઢગચ્છ સાથે સ્થાપે છે, જે તથ્ય પણ આ મુદ્દામાં વિશેષ નિર્ણાયક માનવું ઘટે. વિશેષમાં તેઓ યાપનીય કે દિગંબર હોવાનાં કોઈ જ પ્રમાણ પ્રસ્તુત બે સંપ્રદાયના સાહિત્યમાં ઉપલબ્ધ નથી. આથી જેમ ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનના સંમતિપ્રકરણ તેમ જ કેટલીક દ્વાત્રિંશિકાઓ, માનતુંગાચાર્યના ભક્તામરસ્તોત્ર (અને સોમપ્રભાચાર્યના સિંદૂરપ્રકરકાવ્ય) આદિ પ્રસંગે જેવા દાવા દિગંબર સંપ્રદાય તરફથી થયા તેવા કોઈ જ દાવા હજી સુધી તો દિગંબર વિદ્વાનોએ રજૂ નથી કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy