SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તો ઉપાધ્યાયજી પણ સાર ની ખોજમાં ક્યાં પાછા પડ્યા છે? તેમણે પણ પોતાની એ શોધનું પરિણામ નોંધ્યું જ છે : सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् ॥ એટલે આપણે એમ કહીએ કે જ્ઞાનર એ જિન-પ્રવચનનું સારદોહન તો છે જ, પણ સાથે સાથે એ ઉપાધ્યાયજીએ કરેલી, પ્રવચનના સારનીઅર્કની, ઊંડી ખોજનું તત્ત્વરસ છલકતું સુમધુર પરિણામ પણ છે, તો તે બિલકુલ ઉચિત પણ છે અને મહત્ત્વપૂર્ણ પણ છે, એમાં કોઈ શંકા નથી. જ્ઞાનસાર એ જ્ઞાનના અમૃતરસનો મહાસાગર છે. ઉપાધ્યાયજી ભલે લખે કે “યૂષસમુદ્રોન્થ” –સમુદ્ર થકી નહિ પ્રગટેલું અમૃત તે જ્ઞાન ! આપણી અપેક્ષાએ તો શ્રુતજ્ઞાનના મહાસાગરનું મંથન કરીને ઉપાધ્યાયજીએ મેળવી આપેલું અમૃત જ છે આ જ્ઞાનસાર ! અમારા મોટા મહારાજ, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દન સૂરીશ્વરજી મહારાજ, શ્રી હારિભદ્રીય “અષ્ટક પ્રકરણ” ના સંદર્ભમાં, કહેતા કે “માણસ, જીવનમાં ૩૨ ભૂલો કરે. જેમકે પહેલી દેવના વિષયમાં ભૂલ કરે; એમ ૩૨ ભૂલ કરે. આ એક એક અષ્ટક એ એક એક ભૂલ દૂર કરી આપનારું અષ્ટક છે. “મહાદેવાષ્ટક' ભણો એટલે દેવવિષયક માન્યતા બદલાય, શુદ્ધ થાય. આમ ૩ર અષ્ટકે ૩૨ ભૂલો સુધરે.” જ્ઞાનસાર-અષ્ટકના સંદર્ભમાં પણ આ વાત એટલી જ સાચીવાસ્તવિક જણાય છે. ધર્મતત્ત્વના સંદર્ભમાં થતી ભૂલો જો હારિભદ્રીયઅષ્ટક થકી દૂર થાય, તો અધ્યાત્મ-તત્ત્વના સંદર્ભમાં થતી ક્ષતિઓનું નિવારણ કરવા માટે જ્ઞાનસાર-અષ્ટક એ આલંબન હોવાનું અવશ્ય સ્વીકારી શકાય. જાણકારોના કથનાનુસાર, અધ્યાત્મસાર તેમજ જ્ઞાનસાર - એ બન્ને પ્રકરણોમાં ઉપાધ્યાયજીએ, આવશ્યકતા પ્રમાણે દિગમ્બર મન્તવ્યોનું નિરસન અથવા શુદ્ધીકરણ ભલે કર્યું હોય; પરંતુ તે સિવાય, સમગ્રપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002069
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
Author
PublisherVijaybhadra Charitable Trust Bhiladi
Publication Year2008
Total Pages506
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Knowledge
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy