SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાર વાર્તા એક અભિરામ સ્થળે.. (UTUદાળા ગ્રન્થ ર | 8 વિ.સં. ૨૦૬૩ના પોષ વદિના પહેલા સપ્તાહના દિવસો હતા. સૌરાષ્ટ્રનો બગીચો ગણાય એવા મહુવા પંથકના નજીકના ગામ કુંભણથી કાચે રસ્તે વિહાર કર્યો. પ્રભુજીના દર્શન કરીને નીકળતાં ભળભાંખળું થઈ ગયું હતું. પૂર્વમાં મોં-સૂઝણું થવામાં હતું. વદિમાં તો પાછલી રાતે ચાંદની રેલાતી હોય છે. કવિ નાનાલાલ મોટે પરોઢિયે સાંઢણી પર કરેલી પંચાસરની મુસાફરી દરમિયાન રચેલી પંક્તિ યાદ આવી : ‘પાછલી રાતનાં અજવાળિયાં... રે; ચાંદનીથી ચીતર્યા સખી...' આમ તેજ-છાયાની અજબ ગુંથણી થઈ હતી. અમારે ગોરસ થઈને મોટા ખુંટવડા જવાનું હતું. કુંભણનો સીમાડો છોડ્યા પછી અને ગોરસનો સીમાડો શરુ થાય એવા અડધો કિલો મીટર જેટલા વિસ્તારમાં પગ મૂકતાં જ મન ઠરી ગયું. નીરવ સીમની ચતુઃસીમાને પોતાના મધુર કલરવથી ભરી દેતું પંખીઓનું એ ટોળું હજુ આંખ સામે દેખાય છે. એનો મીઠો અવાજ અત્યારે પણ કાનમાં ગૂંજી રહ્યો છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy