________________
નીવડે છે ! તે બધાને ભોગવવાની ઇચ્છા ખરી પડે છે, જતી કરવામાં આવે છે. તે પછી ફલ રાઇવાળી સિંગો આવે છે. આત્મિક સુખના અંશ (રાઇના દાણા) ની અનુભૂતિ થાય છે ત્યારે તે નમી જાય છે. નમ્ર બને છે. અંદરથી જે સમૃદ્ધ બને છે તે નમ્ર બને જ છે, નમ્ર બને છે તે અંદરથી સમૃદ્ધ બને છે, એવું આ અમૃતચક્ર છે. તફાવત એટલો છે કે ઇન્દ્રિયજન્ય સુખોના અંતમાં દુઃખ આવે છે ત્યારે તે કહી શકે છે જ્યારે આત્મિક આનંદના અંશની અનુભૂતિ કરે છે ત્યારે તેનું વર્ણન શબ્દોમાં સમાવી શકતો નથી. તે અનુભવ શબ્દની પેલે પાર હોય છે. શબ્દ જ્યાં નીપજે છે તેનાથી આગળ આ આત્માનો પ્રદેશ છે માટે.
એટલે આ વિષયમાં યશોવાણી એમ મળે છે કે,
જિન હી પાયા તિન હી છિપાયા.'
તાલી લાગી જબ અનુભવ કી સો ઉ સમજેગે સાન મેં...’
બ્રહ્માનંદનું આજ તો લક્ષણ છે અનંત આકાશના ચંદરવા નીચે અને સા
સાંન્નિધ્યમાં આવું સૂઝે છે.
પત્ર થોડો લાંબો થઇ ગયો !
રસ્તાના વિચાર ચંક્રમણ વખતે તમારી હાજરી અનુભવાતી હતી, વળી વાર્તાલાપનો દોર પણ તમારી સાથે સંધાતો હતો.
પછી તો બલોલથી ગાંભૂ - કનોડા થઇને વડાવલી અને ત્યાંથી અહીં ચાણસ્મા આવ્યા છીએ. નિસર્ગના ખોળામાં અને કુદરતી વાતાવરણ નીચે અમારી વિહાર યાત્રા પ્રભુકૃપાથી આનંદપ્રદ રહી છે. હવે પાંચેક દિવસમાં શંખેશ્વર તીર્થમાં
દાદાના દરબારમાં પહોંચીશું. આ વખતની પ્રભુની યાત્રા મનને ગુણોથી ભર્યું ભર્યું બનાવનાર નીવડે. ભવોથી ઘર બનાવીને બેઠેલા કાંટાને કાઢવા માટે પ્રભુની સહાય માંગવાના ભાવ મનમાં રમે છે. જ એક અભિલાષા સાથે..
તમે પણ ગુણોના બગીચાના સ્વામી બનો એ
Jain Education International
For Private & Personal Use Only
Nolle sin
ગ્રન્થ
८१
ENERIFE
www.jainelibrary.org