________________
: ૮o.
તળાવમાં છંટકાવ કર્યો...
...તળાવનું પાણી સૂકાવા લાગ્યું. તળાવનો વિસ્તાર ઘણો. બારે મેઘ ખાંગા થાય, પાણી ભરાય પણ જેવી જળચર જીવોની ઉત્પત્તિ શરુ થાય ત્યાં જ પાણી સૂકાવા માંડે. બધું પાણી ગળવા માંડે. સાવ સમ ખાવા પૂરતું પાણી રહે છે. આજે પણ તેને ગળ તળાવ કહે છે.
તમને બધાને આ બધું અશક્ય લાગે છે ને!પણ વાત એવી છે કે જે અદશ્યને (દેવ-ગુરુની અચિંત્યકૃપાને) જોઈ શકે છે તે અશક્યને શક્ય કરી શકે છે.
અને એ રીતે જ આ બહેને અશક્ય લાગતું કામ પાર પાડ્યું. એ તળાવ જોતી વખતે તમે સાથે હોત તો તમને ઊંડાણમાં જવા વધારે પ્રશ્નો થયા હોત ! આવું પરિભ્રમણ દગીની નોંધપોથીના યાદગાર પૃષ્ઠો બની રહે છે.
રસ્તે ચાલતા માર્ગની બન્ને બાજુ પુષ્કળ ખેતરો જોવા મળ્યા. એરંડાના ખેતર તો હતા જ પણ લીલી-લીલી વરિયાળીના વિશાળ ખેતરો જોયા. જીરુનું વાવેતર આ બાજુ ઘણું થયું છે. અને પીળાં પીળાં ફૂલોથી શોભતાં રાઈના ખેતરો જોયા અને તેમાં જ્યારે એ લીલી ડાળ ઉપરના હળદર જેવા પીળાં ફૂલો ઉપર હેમંતના સૂરજનો સોનલવર્ણો મૃદુ અને કુણાશભર્યો તડકો રેલાયો ત્યારે તો ત્યાં થોભવું જ પડ્યું! મરક મરક સ્મિત સાથે જ્યારે તેનું સ્વાગત કર્યું ત્યારે સાથે રહેલા કનોડાના પ્રલાદભાઈ કારકુને કહ્યું કે આ રાયડાને પહેલા આ ફૂલ બેસે પછી એ ખરી પડે અને રાઈના દાણાની સિંગો આવે તેના ભારથી છોડ નમી પડે.
આવી વાત સાંભળી મારા મનમાં થયું, ઇન્દ્રિયજન્ય સુખો, જીભ માટેના વખણાયેલા સ્વાદ અને શરીરજન્ય વૈષયિક સુખો, ફૂલ જેવા ક્ષણિક છે. તડકામાં ઝબકતા દુનિયાના લોકોની નજર પડે અને ચળકાટ પકડનારા ફૂલો જેવા! તેમાં જે ન લોભાય આગળને આગળ હજીયે આગળ જાય એ રસનેન્દ્રિયના સુખો કે દેહસંસર્ગજન્ય સુખો જેનો અન્ત છે અને જે સુખના અતિ ઉપર જ મોટો રાગ વગેરે દુઃખો અને તે થોડા વખત માટે જ હોય છે ઉભા હોય, તે અથવા નૃત્યકળા, સંગીતકળા, ચિત્રકળા કે કાવ્યકળા જનિત સુખનો અનુભવ પણ ક્ષણજીવી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org