SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપાટી' નું સંપાદન કર્યું તેમાં સ્વાલિકા ગામની વાત જોઈ હતી તે તાજી થઈ. તેમાં ‘સુહાલિકા' એ રીતે ગામના નામનો ઉલ્લેખ છે, વળી તેમાં શ્રી નેમિનાથ ભગવાનના દેરાસરની વાત છે. એ મૂર્તિ વિશાળ કદની અને દેદીપ્યમાન છે. ત્રણ ફેરફાર અત્યારે દેખાય છેઃ જિન મંદિર ભૂગર્ભમાં ભંડારાયું હોય તેમ લાગે છે. જૈનોના ઘર બધા મોટા શહેરોમાં ગયા છે. અને ગામનું નામ સુંવાળા એ રીતે અપભ્રંશ થયું છે. વળી વસ્તુપાલ-તેજપાલે અહીં ચેય બંધાવ્યું હતું તે યાદ આવ્યું. ભૂમિ ઘણી પ્રાચીન છે. એક વેળા આ બધા ગામોમાં જૈનોની જાહોજલાલી હતી. કાળ-કાળનું કામ કરે છે. કહેવતમાં કહ્યું છે ને કાળ જાય પણ કહેણી રહી જાય તેવું અહીં પણ બન્યું છે. એ ઇતિહાસનું પાનું આ પ્રમાણે છે -- વરસો પહેલાની એક રોમાંચક ઘટના છે. સુંવાળામાં મંત્રીશ્વર વસ્તુપાલે દેરાસર બનાવેલું હતું, આજે ત્યાં મંદિર નથી પણ ખોદકામ કરતાં પ્રતિમાજી જમીનમાંથી મળે છે. આ તો પ્રકૃતિની પ્રક્રીયાનો ભાગ છે ખાડો ત્યાં ટેકરો, ટેકરો ત્યાં ખાડો! તે કાળે અને તે સમયે ગામમાં શ્રાવકોના કુટુંબો વસતા હતા. તેમાંથી એક બહેનને તે જમાનામાં (આશરે નેવું વર્ષ પહેલા) મુંબઈ શહેરમાં પરણાવેલા. તે બહેનને એકવાર માછીબજાર પાસેથી નીકળવાનું થયું. ત્યાં પોતાના ગામનું નામ કાને પડ્યું. જાણવા માટે આગળ પૂછ્યું કહે કે આ સુંવાળા ગામના તળાવની માછલીના દામ બહુ આવે છે. ઘરે આવી મનમાં વિચારતાં મન દુભાયું. આ તો મારા ગામની વાત છે. રોજની કેટલી હિંસા થાય! તે તો કેમ ચલાવાય! પતિને વાત કરી, તેમણે વજન ન આપ્યું. ગોડીજી ઉપાશ્રયે પહોંચ્યા. ત્યાં વિરાજમાન સૂરિ મહારાજને પોતાની મનોવ્યથા કહી. દિલમાંથી પ્રકટેલા શબ્દો સામા હૃદયમાં દીવા થઇને અજવાળા પાથરે છે. સૂરિ મહારાજે એક શેર(200 ગ્રામ) જેટલો વાસક્ષેપ આપ્યો. બહેન પિયર આવ્યા. નવકારમંત્ર ગણી ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy