________________
७८
ચાણસ્મા
૨ જાન્યુઆરી ૨૦૦૬ પ્ર ) તત્ત્વ રસિક જિજ્ઞાસુ,
ગ્નેહભર્યા ધર્મલાભ. અહીં દેવ-ગુરુની કૃપાથી આનંદ મંગલ વર્તે છે ત્યાં પણ તેમ હો. તારો સુખશાતા પૂછતો પત્ર મળ્યો છે. જવાબમાં અમદાવાદથી વિહાર કર્યો છે. સેરીસા આવ્યા ત્યાં સાધ્વીજીના સો ઓળીની આરાધના પૂર્ણ થઈ ત્યાં થોડા દિવસ સ્થિરતા કરીને કલોલ - પાનસર - રાજપુર -કડી થઇને ભોયણી આવ્યા.
હેમંતઋતુના દિવસો છે તેથી ઠંડી તો પડે છે પણ શુદ્ધ હવા, ભાવભીના હૈયા, રસ્તાની બન્ને બાજુ પવનમાં લહેરાતા લીલીછમ વરિયાળીના અડાબીડ ખેતરો તન-મનને તાજગીની લહાણી કરી રહ્યા છે.
શ્રમણજીવનમાં વિહાર એ લહાવો છે. મુક્ત અને નિર્ભીર વિહાર તો મન-તન અને જીવનને તાજગીથી ભરી દે છે.
ભોયણીમાં શ્રી મલ્લિનાથ દાદાનો ઠાઠ જોતાં તો પ્રભુ મહાવીર મહારાજાના શાસન - સંઘને ધર્મની આબાદીનું કારણ જડી ગયું. નિતાન્ત સત્ય, અલંકાર વિના પણ કેવું શોભે છે! પ્રભુની પ્રતિમા આભૂષણ વિના જોવા મળે છે ત્યારે તેમની સાદી છતાં અન્ત વિનાની સુંદરતાનો અંશ આંખે ચઢે છે. ચાર દિવસ નિરાંતે રહ્યા, જાત સાથેની મુલાકાત માટે એ અવકાશ વ્યાજબી રહ્યો.
ત્યાંથી કટોસણ રોડ થઈને સુંવાળા સાંથલને રસ્તે થઈને બલોલ પહોંચ્યા ત્યારે રસ્તામાં જૈન સંઘની દેદીપ્યમાન આભાનો પરિચય મળ્યો.
જ્યારે સુંવાળા ગામ આવ્યું ત્યાંથી એકથી વધારે જૈન પ્રાચીન પ્રભુ પ્રતિમા પ્રાપ્ત થયાની વાત સાંભળી ત્યારે પાલનપુરના ચોમાસામાં જે વિક્રમના સોળમાં સૈકામાં રચાયેલી ‘ઉત્તર ગુજરાતના કેટલાક ગામોની ચૈત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org