________________
૨૨૪
શ્લોકનો ઉત્તર આપ્યો, પછી કહેવાનું શું બાકી રહે છે? પ્રબુદ્ધ પિતા ! એ તો વાતના તંતુને સુંદર રીતે આગળ લંબાવે છે: “તારા માટે સાચી કે ખોટી આવી અફવાસ્વરૂપ વાત થાય એ જ ખોટું છે; તેથી નુકશાન છે. લોકો નહીં જેવી નિંદા કરે તેથી આપણી પ્રતિભા ખરડાય છે, ઝાંખી પડે છે. આ બાબતમાં છૂપાયેલા સત્યને પ્રગટ કરવા એક સચોટ દષ્ટાંત મૂક્યું છે. સૂર્ય તો કેવો તેજસ્વી છે! તેનાં અજવાળા પણ ચારેકોર ફેલાતાં રેલાતાં હોય છે. એ સહસ્ર કિરણવાળો સૂર્ય તુલા રાશીમાં આવ્યો, ત્યાંથી આગળ વધ્યો અને કન્યા રાશીમાં આવીને બહાર નીકળ્યો ત્યાં જ તેનું તેજ મંદ પડી ગયું! જો સૂર્યની આવી વલે થાય તો આપણે તો કેવી દશામાં મૂકાઈ જઈએ ! આપણને તો થોડી નિંદા પણ ન પરવડે. वृत्त-शिखरीणी
સમશ્લોકી પદ્યાનુવાદ सुधांशोर्जातेयं कथमपि कलंकस्य कणिका, સિતાંશુને લાગ્યું કંઈ પણ મિષે લાંછન ભલે, विधातुर्दोषोऽयं नहि गुणवतः कस्य किमपि। ક્ષતિ તેમાં ના કે ગુણિજન વિધાતાની નહીં છે; स किं नात्रेः पुत्रः किमु न हर चूडार्चन मणिः, ન શું તે અત્રિનો સુત હર શિરે શું ન દીપતો, ન વા નિ પ્લાનાં બહુપરિ વિવા ન વતિ હણે ન અંધારું ન શું જગતની ઉપર વસે. વડ જેવા ટેટા હોય તો પછી બાપ તેવા બેટા હોય જ ને! હવે જવાબ આપવાની જવાબદારી પુત્રની આવી. આપણને થાય કે પુત્ર ક્ષતિ સ્વીકારી લેશે અને કહેશે કેઃ ભલે! બાપુ, હવે ધ્યાન રાખીશું. પણ ના. દીકરો બાપથી સવાયો જ નીકળ્યો. એનો જવાબ પણ સવાયો! પિતાએ સૂર્યની વાત કરી તો દીકરો ચન્દ્રની વાત કહે છે. વાતમાં ચમત્કૃતિ આણે છે. “ચન્દ્રમાં કલંક છે તે તો જગજાહેર છે. તો પણ એ જગતુની ઉપર નથી રહેતો? શું તે કાળી ડિબાંગ રાત્રીના અંધારા ઉચેલતો નથી? શું તે અત્રિ ઋષિનો પુત્ર નથી? શું તે મહાદેવના મસ્તક પર બિરાજમાન નથી?' જવાબમાં બધે જ “હા” કહેવી પડશે ને? પિતા-પુત્રની આત્મિયતા વધારતા આ મર્માળા સંવાદની મહેક મજાની છે. જાણે તે માણે અને માણે તે જાણે એવા ચાતુરાઈભર્યા આ સંવાદના રચયિતા બપ્પભટ્ટસૂરિજી અને આમ રાજાના નામે પણ પ્રબંધમાં નોંધાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org