SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સંવેદનભીનાં થઈએ કોઈને કૈ પડી છે જ ક્યાં સાવ છાના પગે પાનખર ઘર કરી જાય છે, કોઈને કૈ પડી છે જ ક્યાં. રાત દિ હરપળે લીલાં પાન ખરી જાય છે, કોઈને કે પડી છે જ ક્યાં ફાગણી મરમરો- શ્રાવણી ઝરમરો, કોઈને કૈ અસર ક્યાં કરે છે હવે, આંખથી વિસ્મય દશ્ય માફક સરી જાય છે. કોઈને પડી છે જ ક્યાં. કોણે પ્રગટાવિયો - વાટ કોણે મૂકી, તેલ કોણે પૂછ્યું કોઈને ક્યાં ખબર કે સદીનો અખંડ દીપ આજે ઠરી જાય છેકોઈને કે પડી છે જ ક્યાં. આપણે ખોઈ ચૂક્યા છીએ આંસુઓ, ને ગુમાવી દીધી છે ભીની વેદના આપણી માલમત્તા સમય પરહરી જાય છે, કોઈને કૈ પડી છે જ ક્યાં. ખળભળે પથ્થરો - ખડખડે બારીઓ, ને પડું રે પડું થઈ રહ્યાં બારણાં રોજ લાખો ઊધઈ ભીંતને ખોતરી ખાય છે. કોઈને કૅપડી છે જ ક્યાં. કવિ શ્રી મનોજ ખંડેરિયા ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં સુપ્રતિષ્ઠિત છે જ. સંવેદનશીલ માણસ તરીકેની પણ તેમની ઓળખ એમની સંવેદનાઓથી ભરપૂર એવી રચનાઓથી યથાર્થ છે. એવી એક ગઝલ “કોઈને કૅપડી છે જ ક્યાં આપણે જોઈશું. માણસજાતમાં કુદરતે સહજ સંવેદનશીલતા આપી હતી તેમાં હવે તો ચિંતા થઈ આવે એટલો બધો ઘટાડો થઈ રહ્યો છે. અરે ! આ વાત પ્રત્યેની સભાનતા પણ બહુ ઓછી વ્યક્તિમાં જોવા મળે છે. અને તે વાત કવિએ આ ગઝલમાં કરી છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy