________________
૨૧૦
ગાર્હ આશ્રમે જ્યેષ્ઠ તદા પ્રેમે હું સંચર્યો. પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ- પાટલે; પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે. દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું, પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહ્યું ! વર્ણાશ્રમતણા આમ બધા હું ધર્મ પાળતો, જાળવવા મથું નિત્યે આર્ય- સંસ્કૃતિ-વારસો.
વર્ણાશ્રમની વાત કર્યા પછી હવે પહેલું વર્ણન પોતાના શરીરનું કરે છે. તેમનું શરીર સાવ એકવડું અને માંદુ રહેતું, પણ તે બન્ને પાસાંને તેઓ સહજ હાસ્યના સહારે વર્ણવે છે. શરીર એવું છે કે શત્રુ એને જોઇને ખુશ થાય છે. અને વૈદ્યને રોજને રોજ ધન મળે છે. પણ જે વહાલપભર્યા સ્વજનો છે તેને ચિંતા રહે છે, અને આવા દુર્બળ શરીરથી મને પીડા રહેતી, વજનમાં એવું હળવું કે પૃથ્વીને સહેજે ભાર ન લાગે. આવું શરીર મને મળ્યું છે !
માંદગી તેમના શરીરે કાયમી વસવાટ કરતી, તેથી તેઓ વર્ણવે છે કે રોગ અને સ્વાસ્થ્ય- નિરોગીપણું - આ બન્ને રણભૂમિ બની રહેતું. શરીરનું ઘડતર દવાથી જ વધારે થયું છે. છતાં ‘મારી વ્યાયામ સાધના’ નામના પ્રસિદ્ધ લેખમાં એક પ્રસંગે એક અખાડાવીરને માટે મનોમન કહે છે તે શરીરના દાવપેચ જાણતો હશે, હું બુદ્ધિના જાણું છું.' આમ બળ કરતાં કળમાં વધારે હતા.
અરિને મોદ અર્પનું, દ્રવ્ય અર્પનું વૈધને વહાલાને અર્પનું ચિંતા, મને પીડા સમર્પ, પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિભારહીણું મને એવું ઈશે શરીર આપિયું,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org