________________
પરિચયનો પ્રારંભ જન્મની ઘોષણાની થાળી પીટાય ત્યારથી કરાય. ભારતીય પરંપરામાં જે વર્ણવ્યવસ્થા છે તેને સાંકળી લીધી. આમે પોતે બ્રાહ્મણ હતા, દવે હતા. અને વળનાં બ્રાહ્મળ: શ્રેષ્ઠ:। એ ન્યાયે પહેલો નંબર બ્રાહ્મણનો આવે એટલે જન્મથી હું બ્રાહ્મણ છું.(જન્મ સન-૧૯૦૧) પછી હાસ્યને મઢી દેતાં કહે છેઃ વૃત્તિએ એટલે આજીવિકાથી વૈશ્ય એટલે વ્યાપારી છું, મારી પ્રવૃત્તિ શુદ્ર જેવી છે. તો હવે બાકી વર્ણ એક રહ્યો તે ક્ષત્રિય. એટલે કહે છે, કલ્પનામાં ક્ષત્રિય બની જાઉં છું. કલ્પના- યુદ્ધ કરવામાં, રક્ષણ કરવામાં ક્ષત્રિય છું. આમ ચાર વર્ણની વાત કર્યા પછી ચાર આશ્રમની વાત કરે છે. તેમાં પહેલો આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ આવે તે વર્ણવતાં બાલ્યવસ્થામાં નિશાળમાં ભણતો હતો અને રમતો હતો ત્યારે પ્રથમ આશ્રમમાં મારી સ્થિતિ હતી.
પછી બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ, તેનું કથન કરતાં તેમને શાળા શબ્દનો શ્લેષ કર્યો છે. શાળા એટલે નિશાળ અને શાળાની બહેન એટલે પત્ની. કરસુખ બહેનને વર્યા, લગ્ન કર્યા. અને બે સંતાન પ્રદીપભાઇ, અસિતભાઇ થયા. આમ ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ. દિવસનાં કાર્યો કરી લીધા પછી નિષ્ક્રિય બની રહું. અને વળી હાસ્ય લાવ્યા. બીજાનાં કાર્ય કરવાના આવે ત્યારે સંન્યાસી બનું. એટલે ‘ના ભાઇ, મારાથી એ નહીં બને. ’ એમ કહ્યું. અહીં આ રીતે વર્ણાશ્રમની વ્યવસ્થાને અનુસરીને આર્યસંસ્કૃતિના વારસાને જાળવવા મથું છું.
Jain Education International
આર્ય સંસ્કૃતિનો વારસો
જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએ શૂદ્ર છું : કલ્પના માંહે ક્ષત્રિય હું બનું વળી ! શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી, બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી. શાળાને છોડીને જ્યારે ‘શાળાની બહેન'ને વર્યો,
For Private & Personal Use Only
૨૦૯
www.jainelibrary.org