SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ બીજું દષ્ટાંત છે મરજીવાનું. મરીને જીવે એ મરજીવો ! કેવું યથાર્થ નામ મળ્યું છે એને! ડૂબકી દઈને મહેરામણના તળિયે મોતી ગોતવા આ ગોતાખોર જાય છે ત્યારે કેટલીયે વાર એ ખાલી હાથે પાછો ફરતો હોય છે. પરંતુ એ બમણા જોશથી ફરી ફરી ડૂબકી દે છે અને છેવટે મુઠ્ઠી ભરી ભરીને ચમકતાં રૂપાળાં મોતી લઈ આવે છે. શૌર્યગીત જેવી આ હિંદી રચનાની છેલ્લી કડી જ નોળવેલ જેવી છે! નિષ્ફળતા મળી? આત્મનિરીક્ષણ કરો. પરીક્ષણ કરો. પ્રયત્ન કરો. નિષ્ફળતા' શબ્દ જ જેની ડિક્ષનેરીમાં નથી એવી વિભૂતિઓને યાદ કરો. આ પંક્તિઓ સાપ-નોળિયાની લડાઈની યાદ અપાવે છે. સામાન્યતઃ સાપ અને નોળિયાના સંબંધો જાતિવૈરવાળા કહેવાય છે. દીઠે ન બને! એક બીજાને જુએ કે લડે. એ લડાઈમાં સાપ ડંખ દઈ દઈને નોળિયાને અધમૂઓ કરી નાખે ત્યારે આ દશ્ય ત્યાં ઊભેલી નોળી (માદા) જોતી રહેતી હોય છે. એ નોળી એક નોળવેલ લઈને આવીને નોળિયાને સૂંઘાડે છે. આ નોળવેલના પ્રભાવે નોળિયો ફરી તાજો માજો થઈને લડવા સજ્જ થાય છે. એ જ પ્રમાણે આ કવિતા હારેલા ને હતાશ થયેલાને હિંમતના પાઠ ભણાવી ચેતનવંત કરે છે, નવું જોમ પુરું પાડે છે. ફરી ફરી વાંચવા જેવી અને ગણગણવા જેવી આ કવિતા છે. એનો નારો છે -- हिंमत करनेवालों की हार नहीं होती। कोशिश करनेवालों की हार नहीं होती। આપણાં મોટા ભાગના દુઃખો મનનાં દુઃખો હોય છે. મનમાં ઘણાં જૂના કાળથી નકારાત્મકતા ભરી હોય છે. આપણને તે નકારાત્મકતા સુખી થવા દેતી નથી. તેને દૂર કરીને ઉપરનું પડખસેડીને અંદર પડેલા આત્મવિશ્વાસ અને હિંમત જેવા ઉર્ધ્વગામી ભાવો બહાર લાવવાના છે. પોતાની મર્યાદાનું ભાન થઈ જાય તો તે રાજા છે. આ ભાન માટે જ આવી કવિતાથી ભાવિત થવાનું હોય છે. : Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy