________________
કાવ્ય આસ્વાદ શ્રી ધુરન્ધર સૂરિ મહારાજ કવિ હતા. સારા કવિ હતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તેમણે હજારો શ્લોકોની રચના કરી છે, તેમજ ગુજરાતીમાં પણ સેંકડો પદરચ્યાં છે. તેઓની જાણીતી કૃતિ આદિ જિન પંચકલ્યાણક પૂજા જેમણે જોઈ કે ગાઈ હશે તેમને રસાળ કવિત્વનો પરિચય થયો હશે. પ્રસ્તુત કાવ્યમાં માનસ સરોવરનું વર્ણન છે. શબ્દ-પ્રાસ સહજ છે. શબ્દ પસંદગી પણ સંસ્કૃતિની છાંટવાળી અને રસાળ છે. હંસ કોઈ અગમ્ય કારણે અહીંના કોઈ તળાવમાં આવી ચડ્યો છે. તેની ઇચ્છા, તેના કોડ તો માનસ સરોવરના જ છે. એ સરવર એવું તે કેવું છે કે મન ત્યાં જવા ઝંખે છે? સરોવર કીધું એટલે પાણી તો હોય જ. અહીં પાણી તો છે અને તે નિર્મળ છે. વળી તે છીછરું નહીં પણ ગભીર. (ગંભીર જેવો જ આ શબ્દ છે.) સરોવર વિશાળ છે. એ છલોછલ છે. આ સરવરમાં કમળો ખીલ્યાં છે. આ કમળ પણ હજાર-હજાર પાંખડીવાળાં છે જે લક્ષ્મી-કમળ કહેવાય છે. (અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરે વર્ષમાં એકવાર ચડાવાય છે તે) આ કમળની પરાગરજથી આકર્ષાઈને મધુક
મરા આવે જ. તેના મીઠા મધુર ઝંકાર અને ગુંજારવ ચારે બાજુ ફેલાય છે. આ સરવરની પાળ મણિ-માણેકથી બાંધેલી છે. એની આ પાળ પર વિહરતા કિન્નરો રસાળ ગીતો ગાય છે. અહીં વાતો પવન શીતલ અને શાંત વહે છે. આપણને અહીં બેઠાં પણ આ સુંદર વાતાવરણની આભા અડી જાય છે ને! આવા રમણીય માનસ સરોવરમાં રૂડા રાજહંસ મોતીચારો ચરી રહ્યા છે અને એવાની સોબતે જે હોય છે તે આ દુનિયાની જંજાળ ભૂલી જાય છે અને કોઈ અન્ય દુનિયામાં ખોવાઈ જાય છે. અહીં ભેળા થયેલા હંસરાજ ક્યારેક મજાક-મશ્કરી કરતા હોય છે. એ મજાક પણ વિકાર રહિત હોય છે. કેવી મજાક હોય છે એ? કમળ-દંડ પર પાણીનું બુંદ છે. જુઓ જુઓ કેવું સોહામણું લાગે છે ! ભેળા થયેલા હંસ દોડીને આ જોવા ભેગા થાય ત્યાં તો એ બુંદ દદડે છે અને સરવર જળમાં ભળી જાય છે. બધા હંસ હસી પડે છે! દુધ અને પાણી ભેગાં હોય એને જુદાં કરવા એ હંસનું સુકન્ય ગણાય છે. વળી એના અવાજમાં સોહં સોહંશબ્દ સંભળાતા રહે છે. આ ખૂબ ઊંચો મંત્ર છે. અર્થાત્ તેઓ ઉચ્ચ ગતિને પામનારા છે. આમ, પાંચ કડીના આ ગીતમાં માનસ સરોવરનું અને હંસોનું રસિક વર્ણન છે. રચના પણ સાદી અને ગેય છે. કંઠને શોભાવે તેવી છે.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org