SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જૈન દર્શનમાં ચાલી આવતી રૂઢ માન્યતાને પડકારરૂપ વાત આ કાવ્યમાં છે. વાત છેઃ સૃષ્ટિના સર્જક પ્રભુ છે કે નહીં? પ્રભુ રાગ-દ્વેષ રહિત છે તો તેને ભક્તોને તે સુખ કે દુઃખ કેવી રીતે આપી શકે? જો તેની સ્તુતિ સુખ ન આપી શકે કે તેની નિંદા દુઃખ ન આપે તો તેને પૂજવાનો કે ભજવાનો સવાલ જ થતો નથી. જો સુખ-દુઃખ આવે છે તો રાગ-દ્વેષ પણ છે. રાગ-દ્વેષ આપણામાં પણ છે, તો તે પૂજવા યોગ્ય રહેતા નથી. આવી બધી ઘડભાંજ બુદ્ધિવાદીના મનમાં સતત ચાલતી હોય છે. જેનોને નિરીશ્વરવાદીની છાપ આવા અધકચરા વિચારને કારણે મળી છે. આ વિચાર વંટોળમાં આ સ્તવન પ્રકાશ પાડે છે. શ્રી યશોવિજયજી મહારાજ સર્વ પ્રથમ ભક્ત છે; પછી તાર્કિક છે; પછી કવિ છે. એમની આ ત્રણેય વિશેષતાઓ આ સ્તવનમાં જોવા-જાણવા મળે છે. માત્ર પાંચ કડીમાં કહેવાની વાત બરાબર કહેવાઈ છે. સ્તવનનો ઉપાડ કેવો સુંદર છે ! પ્રભુ! તમારા પ્રત્યે પ્રેમ પ્રગટ્યો છે. આપ એ પ્રેમને નભાવો તો મારો સ્નેહ લેખે લાગે. અલબત્ત મારો આ તર્ક મુશ્કેલ છે. હું તો રાગી છું અને આપ નિરાગી છો. રાગી-નિરાગીનો મેળ કેમ મળે? લોક પણ આને અજુગતું કહેશે. અરે! લોક તો મશ્કરી કરશે. એક તરફી સ્નેહ નિભાવવો એમાં શું શાબાશી? તમે નિરાગી છો. તમને ભજવાથી, સેવવાથી શું લાભ એવું હું મનમાં આણતો નથી. કારણ કે મને ખબર છે કે ચિન્તામણિ જેવા અચેતન મણિની ભક્તિથી કરેલી આરાધના ફળે છે તો, તમે તો સચેતન છો; આપની ભક્તિથી આરાધના કરું તો તમે પણ ફળ આપવાના જ છો. --આવા તર્કથી માંડણી કરી કવિ કવિતાનો પ્રારંભ કરે છે. પુષ્ટિ માટે એક પછી એક ઉપમાઓ આપે છે. ઉપાધ્યાયજી મૂળ વાત એ કરે છે કે પ્રભુ પોતાના ભક્તના દુઃખ દૂર કરે? હા, એ ચોક્કસ દૂર કરે છે. કેવી રીતે? અહીં પણ તક મદદે આવે છે. જેમ ચંદનનો ઘસારો શરીરમાં શીતળતા જન્માવે છે; જેમ અગ્નિ ટાઢને દૂર કરે છે એમ. ચંદનનો સ્વભાવ શીતળતાનું દાન કરવાનો છે અને અગ્નિનો સ્વભાવ ઉષ્મા અને હૂંફ આપવાનો છે તેમ પ્રભુના જે ગુણો છે તેના પ્રત્યેનો જે રાગ-અનુરાગ છે તે પ્રભુ પ્રત્યેના ગુણરાગનો સ્વભાવ ભક્તોના દુઃખ દૂર કરવાનો છે. પ્રભુમાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy