________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
(બેડલે ભાર ઘણો છે રાજ, વાતાં કેમ કરો છો -એ દેશી) થાં શું પ્રેમ બન્યો છે રાજ, નિરવ હસ્યો તો લેખે; મે રાગી પ્રભુ થે છો નિરાગી, અણજુગતે હોએ હાંસી; એકપખો જે નેહ નિરવહવો, તેમાંકી શાબાશી.. થાં શું - ૧ નિરાગી સંવે કાંઈ હોવ, ઈમ મનમે નવિ આણ્યું; ફળે અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણું થાંશું-૨ ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુઃખ ગમાવે. પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે..થાં શું-૩ વ્યસન ઉદય જિમ જલધિ અનુહરે, શશિ ને નેહ સંબંધે; અણસંબંધે કુમુદ અનુ હરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે..થાં શું-૪ દેવ અનેરા તુમસે છેટા, થૈ જગમેં અધિકેરા; જશ કહે ધર્મ જિણેસર થાં શું, દિલ માન્યા હે મેરા..થાં શું-પ
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની પ્રતિભાના સ્પર્શથી પુલકિત આ નાનીશી ગુજરાતી પદ્યરચનામાં સાહિત્યનું ઊંડાણ સમાયું છે. તેમની સંસ્કૃત રચનાઓ ગૂઢ અને ગહન હોય છે તેને મુકાબલે ગુજરાતી રચનાઓ સરળ અને સુગમ હોય છે. તેમની પ્રતિભા વર્ણવતા બહુમુખી શબ્દ નાનો લાગે; શતમુખી પણ નહીં, એને તો સહસ્ત્રમુખી જ કહેવાય !
આ નાનકડી રચના જ જુઓને! તેમણે વિકસાવેલી ઉપમા શૈલીના અહીં દર્શન થાય છે. સ્વરૂપ ભલે નાનું લાગે, રજુઆત ભલે સરળ લાગે, આમાં વણાયેલો વિષય ગંભીર છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૯૩
www.jainelibrary.org