________________
શ્રી કલ્પસૂત્રનું પ્રથમ શ્રવણ ક્યાં થયું હતું ?
આજે અહીં બિરાજમાન પૂજ્ય આચાર્ય મહારાજના પ્રવચનમાં જવાનું થયું. વળતાં શરદભાઈ પાસેથી જાણવા મળ્યું કે આપ વલ્લભીપુર પધાર્યા છો. વલ્લભીપુર અમારું વતન છે. આપે પર્યુષણના એક પ્રવચનમાં કહ્યું હતું કે શ્રી કલ્પસૂત્ર (મૂળ) તમારા ગામ પાસેના વલ્લભીપુરના પરામાં, આનંદપુરમાં ધ્રુવસેન ત્રીજાના મરણના શોકને દૂર કરવા સભા સમક્ષ સંભળાવવામાં આવ્યું ત્યારે વીર પ્રભુના નિવણને ૯૯૩ વર્ષ થયા હતા.” એ આનંદપુરનું સંશોધન આપ કરવાના હતા. આપ એ તરફ પધાર્યા છો તો એ કામ કરવાનું રાખજો જેથી અમને એ વિષે જાણવાનું મળે ઉત્તર : તમે સારું સંભારી આપ્યું. મનમાં તો હતું જ. થોડી બારીકાઈથી પૂછપરછ કરી. સારો પ્રકાશ મળ્યો. વાત આમ છે. મને સ્પષ્ટ સમજાય છે કે આ શહેર, વલ્લભીપુર, એક વખત ધીકતું બંદર હતું. જો કે એ વાત ઘણાં વર્ષો પહેલાંની છે. પણ તે પછી આ નગર વિદ્યાની મોટી પરબ રૂપે વખણાઈ હતી. જેમાં નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠ તરીકે જ્યાં દશ-દશ હજાર વિદ્યાર્થીઓ ભણતાં હતાં તેવી જ આ વલ્લભી વિદ્યાપીઠ હતી. અહીં જેનો અને બૌદ્ધો પુષ્કળ મોટી સંખ્યામાં હતા. અરે!રાજરાણીના દીકરા મલ્લ જમલવાદી રૂપે જૈન સંઘમાં સુપ્રસિદ્ધ છે. વિદ્યાના ખૂબ ખીલેલા વાતાવરણના કારણે જ અહીં શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણની આગેવાની હેઠળ આગમાં ગ્રંથો પુસ્તકારૂઢ થયા. જો કે તેની સમય મર્યાદા તેર વર્ષની છે. નવસોને એસી (વીર સંવત)માં કાર્ય શરુ થયું અને નવસો ત્રાણુંમાં પૂર્ણ થઈ શક્યું. અઅમ તેર તેર વર્ષ સુધી એક શાસ્ત્રલેખનનો મહાયજ્ઞ ચાલે તે કેવી આનંદ પ્રેરક ઘટના ગણાય. શ્રાવકોની ભક્તિ, સાધુ સમુદાયની ધૈર્ય શક્તિ દાદ માગી લે તેવી ઐતિહાસિક ઘટના ગણાય.
આટલા સમયગાળા પછી શ્રાવક પોતાના રાજાને શોકમુક્ત કરવાની માંગણી કરે અને તેનો સ્વીકાર થાય તે ખૂબ યુગાનુકૂલ પ્રવૃત્તિ ગણાય. એ પુત્રના વિયોગથી વ્યથિત મનવાળો રાજા એ જ વલ્લભીપુરના એક પરાના મહેલમાં રહેતો હોય તે સમજી શકાય તેમ છે. વળી એ આનંદપુર દરિયાની નજીક જ હોવાથી રાજાનો મહેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org