________________
૧૭૬
ઋષભ ચરણ અંગૂઠડે...
અષ્ટ પ્રકારી : વિવેકભરી વિચારણા મારા મનમાં એક સમસ્યા સર્જાઈ છે. સમાધાન જોઈએ છે. હું રોજ પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરું છું. પણ હમણાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજ એવું બને છે કે જ્યારે
જ્યારે જિનાલયમાં જાઉં ત્યારે જે પ્રભુજીની કાયમી અષ્ટપ્રકારી પૂજા કરું છું, પૂજા કરીને આંગી રચું છું. તે પ્રભુજીને કોઈકે અગાઉથી આવીને સુંદર અંગરચના કરી હોય છે ! હવે મારે શું કરવું? અંગરચના એવી તો સુંદર અને આલ્હાદક રચાઈ હોય છે કે તે રદ કરવાનો જીવ ચાલતો નથી. બીજી બાજુએ મારા નિયમને પાળવાની ચટપટી હોય છે. મૂંઝાઉં છું. કોઈક સમાધાન મેળવવા આપના ચરણોમાં આવ્યો છું.
ઉત્તરઃ તમારી સમસ્યા બિલકુલ વ્યાજબી છે. આવી સ્થિતિમાં સમજુ અને ધર્માભિમુખ વ્યક્તિને આવું ન થાય તો નવાઈ લાગે. મને પણ થોડી મૂંઝવણ છે કે કેમ કરીને ઉકેલ આપે જેથી તમારા મનનું સમાધાન થાય.
આ પ્રશ્નના યોગ્ય સમાધાન માટે એક સાચુકલો પ્રસંગ આપણે જોઈએ. તમારા જેવાને તો કદાચ તેમાંથી જ સામધાન મળી રહેશે. છતાં તે પ્રસંગ પછી થોડી વિચારણા પણ કરીશું.
પ્રસંગ આવો છે? ...આજે અષભકુમાર રાજા બનવાના છે. ઋષભકુમારનો રાજયભિષેક છે. અયોધ્યાનગરીના બાહિર ભાગમાં તડામાર તૈયારીઓ ચાલે છે. મંડપને સજીધજીને શણગાર્યો છે. સોનાનું સિંહાસન રચાઈ ગયું છે. પિતા નાભિના મોં પર પણ ઉલ્લાસ છલકાય છે. પ્રજારૂપ યુગલીયાઓ, પોતાને ત્યાં રાજાનો અભિષેક છે એ એક અવસર છે માટે આપણાથી થઈ શકે તે કરવા થનગનવા લાગ્યા છે. પહેલીવારનો જ આવો પ્રસંગ છે. હાજર રહેલા દેવોને યુગલીયાઓ પૂછે છે: શું શું કરવાનું હોય ! શું શું જોઈએ?
ખબર પડી કે આજે અભિષેક થશે એટલે સહુ સાથે મળીને અભિષેકનું જળ લેવા ઉપડ્યા. અંભોજિની (કમલિની)ના મોટા પાંદડાંઓના પડીયા બનાવી, નિર્મળ જળથી ભરેલા તળાવના પાણીથી એ પડીયા ભર્યા અને ઉછળતા ઉત્સાહથી મંડપ ભણી ચાલ્યા...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org