________________
૧૬૮
૨. અત્યારે શ્રી સંઘમાં ચંદનબાળાએ અઠ્ઠમ કર્યો હતો એમ પ્રચલિત છે. જ્યારે આમાં છઠ્ઠની વાત છે. અઠ્ઠમની વાતને કેટલું વજન આપવું તે વિચારવા જોગ છે.
૩. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ બધા જ અભિગ્રહ પૂર્ણ થયા છે. પાછા જવાનું બનતું જ નથી. આ રીતે ઉહાપોહપૂર્વક વાચન થાય તો વધુ લાભ થાય.
શ્રમણ મહાવીરને પાંચ માસ અને પચીસ દિવસ થયા એટલે માગસર વદિ એકમના દિવસે અભિગ્રહ શરુ થયો અને જેઠ સુદિ દસમના દિવસે અભિગ્રહ પૂર્ણ થયો છે.
આ રીતે એક અન્ય પ્રસંગ પણ ત્રિષષ્ટિના પહેલા પર્વમાં ધ્યાનથી વાંચવા જોગ છે. જો કે તમે તે શ્રુતની સપાટીથી વાંચ્યો હશે. હવે તેને ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનની ભૂમિકાથી વાંચજો. મૂળ શ્લોક આ પ્રમાણે છે:
स्वामिदर्शनहृष्टानां स्वेडानादो दिवौकसाम्। स्तनितं स्तनयित्नूनामिवैष श्रूयते दिवि॥ ॥ ५२५॥
शृण्वत्यास्तत् देव्या मरुदेव्या व्यलीयत। आनन्दाश्रुपयः पूरैः पङकवत् नीलिका इशोः॥ ॥ ५२७॥
साऽपश्यत् तीर्थकृतल्लक्ष्मीं सूनोरतिशयान्विताम्। तस्यास्तद् दर्शनानन्दात् तन्मयत्वमजायत॥ ॥५२८॥
साऽऽरुह्य क्षपकश्रेणिमपूर्वकरणक्रमात्।
क्षीणाष्टकर्मा युगपत् केवलज्ञानमासदत्॥ ॥५२९॥ આ શ્લોકોને ધ્યાનથી જો વાંચશો, શ્રુતજ્ઞાનથી ઉપર ઊઠીને ચિંતાજ્ઞાન સુધી અને પછી ભાવનાજ્ઞાન સુધી પહોંચીને વિચારશો તો વર્તમાનમાં પ્રચલિત માન્યતા છે કે જે સ્તવનો જે સઝાયોમાં વર્ણવી છે તે વર્ણનને આની સાથે કોઈ સંબંધ છે?
આપણે ત્યાં મરુદેવા માતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે તેની પૂર્વભૂમિકામાં માતા પુત્રના સંબંધ, માતાની પુત્ર તરફની અપેક્ષા વગેરે સાવ લૌકિક પ્રત્યાઘાતવાળી વાત કરવામાં આવે છે જ્યારે ત્રિષષ્ટિગત વાત લોકોત્તર સંસ્પર્શવાળી છે. એટલે આપણે આ ત્રિષષ્ટિના જોરે પ્રચલિત માન્યતાને પાયા વિનાની ઠેરવી શકીએ. આ મજબૂત પ્રમાણ આપણી પાસે છે જ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org