SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસંગ આવે છે. શ્રી સંઘમાં આ કથા પ્રસંગ ખૂબ જાણીતો છે. તમે બધાએ એકથી વધારે વાર વાંચ્યો અને વંચાવ્યો હશે. તેની વાત ભાવનાજ્ઞાનનાં સંદર્ભમાં જોઈએ. ત્રિષષ્ટિ૦ પર્વઃ ૧૦ - શ્લોકાંકઃ૫૬૦ થી આગળ વાત ચાલે છે. ત્યાં ત્રણ મુદ્દા ધ્યાનથી જોવા જેવા છે. હું મૂળ શ્લોક ઉતારું છું. પછી તેનું તારણ વિચારીએ. तत्रच क्षुत्पिपासातदवस्पृष्टां लतामिव । निगडै र्यन्त्रितामंहूयो नवात्तां करिणीमिव ॥ ॥ ५६५ ॥ परिमुण्डितमुण्डां च भिक्षुकीमिव चन्दनाम् । अश्रुपूरितनेत्राब्जा मीक्षाञ्चक्रे धनवाहः ॥ ॥ ५६६ ॥ युग्मम् षष्ठस्य पारणायामीति कुल्माषाः सन्ति संप्रति । यद्यायात्यतिथिस्तस्मै दत्वा भुजेऽन्यथा न हि ॥ ॥ ५७२ ॥ द्रव्यादिभेदसंशुद्धं ज्ञात्वा पूर्णमभिग्रहम् । तस्यै कुल्माषभिक्षायै स्वामी प्रासारयत् करम् ॥ ॥ ५७८ ॥ અહીં ત્રણ મુદ્દા ભાવનાજ્ઞાનથી આપણે વિચારવાના છે. ૧. પ્રભુ પધાર્યા ત્યારે ચંદનાની આંખમાં આંસુ હતા જ. ૨. ચંદનબાળાને છઠ્ઠ જ થયો છે. ત્રીજે દિવસે તો અડદના બાકળા પ્રભુને વ્હોરાવ્યા છે. પારણું કર્યું છે. ૩. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચારે પ્રકારના અભિગ્રહ પૂર્ણ થયા છે તે જાણીને અડદના બાકળા વ્હોરવા પ્રભુએ હાથ પ્રસાર્યો. હવે સાદી રીતે તો આ શ્લોકો વાંચ્યા પછી, અર્થ કર્યા જ હશે. પણ વર્તમાનમાં જે પ્રચલિત માન્યતા પ્રવર્તે છે તેમાં આ કલિકાલ સર્વજ્ઞ શું લખે છે તે આપણે જોવાનું છે. પ્રચલિત માન્યતા આ છે ઃ ૧. પ્રભુ મહાવીર પધાર્યા અને ચંદનાની આંખમાં આંસુ ન દીઠાં તેથી પાછા ફર્યા. જ્યારે આમાં એવી કોઈ વાત જ નથી. બલ્કે અહીં તો અક્ષુવૃતિનેત્રજ્ઞા એવું સ્પષ્ટ લખેલું છે. For Private & Personal Use Only Jain Education International શાળા ગ્રન્થ ૨ ૧૬૭ www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy