________________
૧૬૬
ચિંતાજ્ઞાનથી આગળ જવાનું કહે છે. કારણકે શ્રુતજ્ઞાન પાણી જેવું છે જે તૃષા - તરસ છીપાવે. પાણી પીવાથી પીનારની તરસ છીપે. ચિંતાજ્ઞાનને દૂધ જેવું કહ્યું છે. દૂધથી ક્ષુધા - ભૂખ શમે છે. દૂધ પૂર્ણ આહાર ગણાય છે. જ્યારે અમૃત તો મૃત્યુને તરી જવામાં સહાયક છે. આ ત્રણે જ્ઞાનને ઉત્તરોત્તર ઉત્તમ રીડે સમજવા માટે આ પાણી-દૂધ-અમૃતની ઉપમા ખૂબ જ સમજ ભરેલી છે.
તેઓના પ્રસિદ્ધ ગ્રન્થ જ્ઞાનસાર ઉપરના સ્વોપજ્ઞ બાલાવબોધમાં એક સ્થાને લખે છે એ શ્લોક તો આપણા સંઘમાં ખૂબ જાણીતો છે. તેના નિષ્કર્ષમાં આ શબ્દો છે
निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः ।
तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ॥ ५-२ ॥
ज्ञानाष्टकम्
મૂળ શ્લોકનો અર્થ તો બરાબર કર્યો છે પછી છેલ્લે એક જ લીટી મહત્ત્વની લખી છે. તે જોઈએ ઃ भावनाज्ञानई थोडुइ घणुं, ते विना घणुं ते शुकपाठ ।
ભાવનાજ્ઞાન ઘણી મહત્ત્વની અભ્યાસ પદ્ધતિ છે. તેમાં શબ્દ પછી તેના અર્થનો બોધ પછી તાત્પર્ય - જે અનુપ્રેક્ષાથી પ્રાપ્ત થાય છે તે પૂર્વકનું જ્ઞાન ભલે થોડું હોય તો પણ લાભ કરે. ઉપવેશ પવૃત્તિ માં એક અગત્યની પંક્તિ છે :
सम्यग् भावनाज्ञानाधिगतानां भावतोऽधिगमत्वसंभवात् ।
उपदेशपदवृत्ति : गाथा - १६५
જ્યારે ભાવના વડે ભણવામાં આવે તો સમ્યગ્દર્શન પ્રાપ્તિના જે બે પ્રકાર છે ઃ નિસર્ગ અને અધિગમ - તેમાં દ્રવ્ય અધિગમ અને ભાવ અધિગમ. તેમાં ભાવ અધિગમની પ્રાપ્તિ આ ભાવનાજ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. માત્ર શ્રુતજ્ઞાન માટે જેમ અહીં શુકપાઠ શબ્દ છે તેવો જ શબ્દ શ્રીપાળ રાસ ખંડઃ ૪ - ઢાળઃ ૧૩માં સાતમી કડીમાં મૂક્યો છે ઃ ગ્રન્થજ્ઞાન અનુભવ વિણ તેહવું શુક જિસ્યો શ્રુતપાઠો - ૭
આમ તો શ્રુતમાંથી ચિંતામાં થઈને ભાવનાજ્ઞાનમાં જવાનું અઘરું નથી પણ લક્ષમાં રાખીને ઉદ્યમ કરવામાં આવે લક્ષ્ય સુધી પહોંચાય છે. માત્ર એ દષ્ટિએ વાંચવા - ભણવાનું થાય તો ફળ મળે.
જેમ કે તમારા બધામાં ત્રિષષ્ટિ૦ ના દસમાં પર્વનું પઠન - પાઠન થતું જ રહે છે. તેમાં ચંદનબાળાજીનો
Jain Education International
==
For Private & Personal Use Only
www.jainelibrary.org