SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંઘ સમક્ષ કેટલાક વિચારો શ્રી સંઘ પ્રત્યેના મમત્વના નાતે, તેની આબાદી ઝાંખી ન પડવી જોઈએ તેવું મનમાં રમ્યા કરે તેથી મિત્રો પાસે બળાપો કાઢું. એક દિવસ વંદન કરવા આવેલા બે-એક મિત્રો એકી સાથે પૂછવા માંડ્યા ! માનો કે તમારું મંતવ્ય માંગવામાં આવે અને જે માંગે તેનો તેઓ અમલ કરવા તત્પર હોય તો તમે કઈ કઈ વાતોને અગ્રતા ક્રમે કરવાનું કહો ? મને તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો ! શ્રી સંઘ સમક્ષ થોડા વિચારો મૂકું છું. સજ્જનો તેને જુએ, વિચારે. ૧. વ્યાપારમાં ધર્મ લઈ જવો, પરંતુ ધર્મમાં વ્યાપાર ન કરવો. જેમ કે; સંઘજમણ થયું. છેલ્લે ૨૫ કીલો જેટલા લાડવા વધ્યા. વહીવટદારો તરત જ એનો ખર્ચ ગણી બોર્ડ પર લખાવી દેશે : કીલોનો ભાવ રૂ.૧૨૦, લાડવા જોઈએ તેઓએ લઈ જવા. બે કીલો લાડવા પોતાને ઘેર મોકલી દે. પૈસા ભરી દે. આ ધર્મમાં વ્યાપાર થયો. આ ન કરાય. પછી પ્રશ્ન થશે ઃ તો શું કરાય ? એ જ કરાય કે ઉપાશ્રય, દેરાસરની આજુબાજુ જે અજૈનોના ઘર કે દુકાન હોય તે બધાને ઘર દીઠ એક કે બે લાડુ ખેંચવા. ‘અમારા ભગવાનની પ્રસાદી છે.’ -એમ કહી તેઓને આપવા. આ કાર્ય કરવું બહુ જરૂરી છે. અજૈનોને જૈન સાધુ-સાધ્વીજી મહારાજ પ્રત્યે જે અણગમાનો ભાવ આવે છે તે નહીં આવે. જૈનો કેટલા સારા છે ! -તેવો ભાવ આવશે. વળી કોઈકવાર અજાણ્યા વિસ્તારમાં જતાં, સાધુ-સાધ્વીજી રસ્તો ભૂલ્યા હોય, તેમ માલુમ પડશે તો તેઓ રસ્તો બતાવવા આગળ આવશે. કહેશે, અમે દેરાસરની નજીક રહીએ છીએ. ચાલો હું તમને જ્યાં Jain Education International For Private & Personal Use Only ૧૫૯ www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy