________________
શ્રી સંઘ સમક્ષ કેટલાક વિચારો
શ્રી સંઘ પ્રત્યેના મમત્વના નાતે, તેની આબાદી ઝાંખી ન પડવી જોઈએ તેવું મનમાં રમ્યા કરે તેથી મિત્રો પાસે બળાપો કાઢું.
એક દિવસ વંદન કરવા આવેલા બે-એક મિત્રો એકી સાથે પૂછવા માંડ્યા !
માનો કે તમારું મંતવ્ય માંગવામાં આવે અને જે માંગે તેનો તેઓ અમલ કરવા તત્પર હોય તો તમે કઈ કઈ વાતોને અગ્રતા ક્રમે કરવાનું કહો ?
મને તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો !
શ્રી સંઘ સમક્ષ થોડા વિચારો મૂકું છું. સજ્જનો તેને જુએ, વિચારે.
૧. વ્યાપારમાં ધર્મ લઈ જવો, પરંતુ ધર્મમાં વ્યાપાર ન કરવો.
જેમ કે; સંઘજમણ થયું. છેલ્લે ૨૫ કીલો જેટલા લાડવા વધ્યા. વહીવટદારો તરત જ એનો ખર્ચ ગણી બોર્ડ પર લખાવી દેશે : કીલોનો ભાવ રૂ.૧૨૦, લાડવા જોઈએ તેઓએ લઈ જવા.
બે કીલો લાડવા પોતાને ઘેર મોકલી દે. પૈસા ભરી દે.
આ ધર્મમાં વ્યાપાર થયો. આ ન કરાય. પછી પ્રશ્ન થશે ઃ તો શું કરાય ?
એ જ કરાય કે ઉપાશ્રય, દેરાસરની આજુબાજુ જે અજૈનોના ઘર કે દુકાન હોય તે બધાને ઘર દીઠ એક કે બે લાડુ ખેંચવા. ‘અમારા ભગવાનની પ્રસાદી છે.’ -એમ કહી તેઓને આપવા. આ કાર્ય કરવું બહુ જરૂરી છે. અજૈનોને જૈન સાધુ-સાધ્વીજી મહારાજ પ્રત્યે જે અણગમાનો ભાવ આવે છે તે નહીં આવે. જૈનો કેટલા સારા છે ! -તેવો ભાવ આવશે.
વળી કોઈકવાર અજાણ્યા વિસ્તારમાં જતાં, સાધુ-સાધ્વીજી રસ્તો ભૂલ્યા હોય, તેમ માલુમ પડશે તો તેઓ રસ્તો બતાવવા આગળ આવશે. કહેશે, અમે દેરાસરની નજીક રહીએ છીએ. ચાલો હું તમને જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
૧૫૯
www.jainelibrary.org