________________
પ્રસંગ તો શુભ મંગલ સમાચારની વધાઈ છે. એ હરખમાં શ્રીફળ વધેરવું, શેષ લેવી -- આ પ્રથા મૂળ આમ હોવી જોઈએ. પછી તેમાં ક્યાંક-ક્યાંક સાકર-પૌઆ અને એવું એવું ઉમેરાતું ચાલ્યું. આમે ય કોઈ પ્રણાલિકાને વરસો વીતે અને પ્રસાર પામે તેમાં ઉમેરો પણ થતો રહે; એમાં ઘસારો પણ લાગે.
એદિવસોમાં સમસ્ત શ્રાવક-શ્રાવિકા સંઘના હૃદયમાં આનંદની, હરખની છોળો ઉછળતી હોય. શ્રી કલ્પસૂત્ર નિજ ગૃહે પધરાવી, રાત્રિ-જાગરણ રાખી ધૂપ-દીપની સુવાસ ફેલાવતા પવિત્ર વાતાવરણમાં સંગીતની સૂરાવલિઓ સાથે મંગલ ગીતો ભક્તિ પૂર્વક ગવાતા હોય તે દ્રશ્ય કેવું હૃદયંગમ લાગે ! આગમ ગ્રંથનું કેવું રૂડું બહુમાન થતું અનુભવાય! લોકો ગૌરવથી કહે “અમારે ઘેર શ્રી કલ્પસૂત્ર પધરાવવાનું છે!' –આવા પ્રસંગોનો અનુભવ થતો અને એ જીવનનું યાદગાર ભાથું બની રહેતું.
શ્રી કલ્પસૂત્રના ચોથા વ્યાખ્યાનમાં કુલ જે સૂત્રો છે તેમાં ૬૯મું સૂત્ર ધ્યાનથી સાંભળવા જેવું છે. એમાં માતા ત્રિશલાને ચૌદ મહાસ્વપ્ન દેખાયાં તેનું વર્ણન છે. એ સ્વપ્નનાં ફળ જાણવા માટે સ્વપ્ન-લક્ષણ-પાઠકને તેડાવ્યા. તેમનો યોગ્ય આદર થયો. સત્કાર અને સન્માન કરીને યોગ્ય સ્થાને બેસાડ્યા. પછી સિદ્ધાર્થ મહારાજા તેઓની સામે પુષ્ટ પત્ત પરિપુOUT જે પુષ્પ-ફળથી ખોબો ભરીને બેઠાં. અહીં જે ફળ શબ્દ છે તે પરથી શ્રીફળ સમજાય છે. દેવ-ગુરુ અને નૈમિત્તિક પાસેથી ફળ મેળવવું છે માટે તેમને ફળ ધરવું. આ નીતિશાસ્ત્રના નિયમના અનુસાર ફળ રાખ્યું તેના અનુકરણ રૂપે આ પ્રથા આવી હોય તેમ લાગે છે. પહેલા-પહેલા ગ્રામના નગરશેઠ હાથમાં ફળ રાખી બેસતાં હોય. પછી વધતાં, નાતના શેઠ, પછી વહીવટદારો અને પછી ક્રમશઃ... શ્રવણ કરતાં હોય તે બધા જ આમ શ્રીફળ લઈને જન્મ-પ્રસંગનું વર્ણન સાંભળતાં હશે.
વાત આમ બની હશે. પછી એ શ્રીફળ કાં તો પુરોહિત બ્રાહ્મણોને આપે અથવા તો જે કોઈ અજૈન સામે મળે તેને પ્રભુજીનો જનમ થયાની ખુશાલીની પ્રસાદી તરીકે વહેંચતા હશે. અજૈનો એ પ્રસાદી લઈને, જેનો કેવા સારા છે !” એવી અનુમોદના કરે.
૧પ૭.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org