________________
૧૫૬
વીર પ્રભુના જન્મશ્રવણની ખુશાલી : શ્રીફળની શેષ
વરસ તો નહીં પણ કેટલાક મહિનાઓથી મનમાં એક વાત ઘોળાયા કરે છે. એનું હાર્દ જાણવા મળે નહીં ત્યાં સુધી મનની મૂંઝવણ દૂર નહીં થાય. છતે ગુરુએ મૂંઝાતા રહેવું એ પણ ઠીક નહીં તેથી આજે પૂછું છું. ક્ષમા કરજો. હે ગુરુ મહારાજ ! જોસણના દિવસોમાં લીલોતરી ખવાય નહીં એ બરાબર પણ મહાવીર ભગવાનનો જનમ વંચાય – મારા પ્રભુ જનમ્યા એ સાંભળું ત્યારે તેના હરખથી હૈયું ભરાઈ જાય અને તેની ખુશાલીમાં આ શ્રીફળ વધેરું તો પાપ લાગે? હમણાં જ થોડા દિવસો પહેલાં એક મુનિ મહાત્માએ પ્રવચનમાં આમ કહ્યું હતું. હવે તમે હાચું કહેજો. તમે ના કહેશો તો માંડી વાળીશું પુણ્ય કરતાં પાપ નથી કરવું. વળી હમણાં જ સાંભળ્યું કે પુણ્યનું પોષણ પાપનું શોષણ.” - એટલે સાચી વાત જાણવા મળે એ જ માર્ગો ઈરાદો છે.
ઉત્તરઃ તમારી મૂંઝવણ સાચી છે. ઘણાના મનમાં આવું થાય પણ વરસના આઠ દિવસ જ અહીં આવનારા આવી તરખટમાં પડતા નથી. સુધર્માસ્વામીની પાટ પર બેસીને મુનિ મહારાજ જે કહે તે આપણાં ભગવાન બોલ્યા! -- એવી શ્રદ્ધા ધરાવનારને પણ આવું સાંભળે એટલે મનમાં પ્રશ્ન તો થાય જ. મારી સમજ પ્રમાણે જે રીતની વાત છે તે તમારી સમક્ષ મૂકું છું. એમાં ફેરફાર કે નવો પ્રશ્ન જાગે તો જણાવજો. વાત આમ છેઃ
આ પ્રથા આજકાલની નથી. અઢીસો-ત્રણસો વર્ષ પહેજે થયા હશે. ચોક્કસ સંશોધન તો બાકી છે, આ તો હું બીતાં-બીતાં કહું છું. આ પ્રથાના મૂળ શોધવાનું કરીએ તો કદાચ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના સમય સુધી પહોંચી જઈએ. સુપનાના દર્શનની પ્રથા પણ એટલી જ જૂની હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org