________________
૧૪૪
દશ પ્રકારના યતિધર્મ, નવતત્ત્વની વિચારણામાં જે પરોવાયા તેના પ્રત્યે પ્રીતિ જાગી તેને આ દશે પ્રકારના યતિધર્મ ગમે જ ગમે. તેના પ્રભાવે પ્રાપ્તિ થાય અને પરંપરાએ સકલધર્મનો મોક્ષ થાય અને સ્વાધીન શાશ્વત સુખની પ્રાપ્તિ થાય.
(આધાર ઃ સિરિસિરિવલકહા) પાઠશાળાના અધ્યાપકે જે નવતત્ત્વ ભણાવ્યાં, તેમાં પુણ્યતત્ત્વ ભણ્યાં અને હૃદયમાં ઉતાર્યું કે પુણ્યથી શું-શું મળે ! પુણ્યથી મળતાં ક્ષણિક માત્ર ભૌતિક સુખો તરફ ન જતાં, સ્થાયી અને આત્મિક સુખો તરફ દષ્ટિ રાખીને જવાબ વાળ્યો હતો. રાજા ચીડાઈને પણ, મયણાંના પુણ્યને અનુસારે જ કાર્ય કરતા હતા.
જ્યારે કોઢિયાના હાથમાં મયણાંનો હાથ મૂકાયો ત્યારે પણ મયણાં તો મનથી દૂઢ છે. શરીર, ઈન્દ્રિય અને મનને પેલે પારના પ્રદેશમાં તેમની આવન-જાવન હોય છે એટલે, આ ક્ષણિક સુખ-દુઃખના લેખાજોખાં બહુમામૂલી લાગે, તુચ્છ અને ત્યાજ્ય લાગે છે.
દુઃખ એટલે સત્ તત્ત્વ તરફથી ખસેડેલી નજર. જેવી એ નજર સત્ તત્વથી ખસીને બીજી બાજુ વળી કે દુઃખના અનુભવો શરૂ થઈ જાય છે.
મયણાનાં મનમાં આવા ભૌતિક તોલ-માપ ન હતા. જીવનને જોખવાના ત્રાજવાં તેણીએ પ્રવૃત્તિમાંથી નહીં પણ વૃત્તિમાંથી નીપજાવ્યા હતા. તેનું મન, થોડાં દુઃખે અકળાઈ જાય કે થોડાં સુખે અંજાઈ જાય તેવું ન હતું. તેઓ શેને સુખ અને શેને દુઃખ માને છે તે જાણવું ખૂબ રસપ્રદ બની રહે છે.
૨. રાજા પ્રકુપિત થઈને મયણાના લગ્ન કોઢીયા રાજા સાથે કરાવે છે. પછી જ્યારે એકાંત મળે છે ત્યારે શ્રીપાળ પહેલ કરીને કહે છે:
સુંદરી હજીય વિમાસજો, ઊંડો કરી આલોચ, કાજ વિચારી કીજિયે, જિમ ન પડે ફરી શોચ. સુંદરી! હજી વિચારો. કશું જ બગડ્યું નથી. મારી સોબતથી તમારી સોવન સરખી કાયા વિણસી જશે! સજ્જનની પહેલી વ્યાખ્યામાં આવે કે છે આવા વિપત્તિના પ્રસંગમાં બીજાનો વિચાર જ પહેલો આવે. મયણાં કહેઃ “આ બોલ્યાં!”
માયણાં તસ વયણાં સુણી હિય દુઃખ ન માય, ઘળક-ઘળક આંસુડાં ઢળે વીનવે પ્રણમી પાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org