________________
યોગીને આપવાનું શૂરાતન ઑર ચડ્યું. શ્રીપાળ “ના - ના કરતા રહ્યા અને પરાણે આગ્રહ કરીને પણ, અલ્પ તેણે અંચલ બાંધિયું કરી ઘણી મનોહાર. થોડું સોનું તો, તેના ખેસના છેડે બાંધી જ દીધું.
પ્રયાણના પહેલા જ દિવસે શુભ શુકન થયું. હવે આગળ-આગળ સિદ્ધિનાં સોપાન સાંપડશે તે વિચારથી મનમાં ઉત્સાહ વધ્યો. પગમાં જોમ વધ્યું.
૨. આશ્ચર્ય તો એ વાતનું છે. સોનાની ચીજ માટે કુણ ઊંચકે! સોનાને ભાર કહેનાર વ્યક્તિને જ્યારે નર્મદાના કાંઠે ધવલશેઠે આમંત્રણ આપ્યું?
તુમને મુહ-માંગ્યું દિઉં, આવો અમારી સાથ. આ આમંત્રણના જવાબમાં શ્રીપાળ કહે છે : કુંવર કહે હું એકલો, લેઉં સર્વનું મોલ. ધવલશેઠ એ દશ હજાર યોદ્ધાને વરસ દિવસે એક-એકને એક હજાર સોનૈયા આપતા હતા! બધાને આપો છે એટલે મને એકલાને આપો' શ્રીપાળે કહ્યું.
લોકોત્તર પુરુષનાં ચરિત્રો કેવાં અતાગ હોય છે ! તેના ઊંડાણને કોણ માપી શક્યું છે ! કોણ જાણી શક્યું છે! તેની ઊંચાઈ પણ ઉત્તુંગ હિમાલય જેવી જ હોય છે.
શ્રીપાળની નિઃસ્પૃહતા નોંધપાત્ર છે તો વ્યવહાર ચતુરાઈ પણ સરાહનીય છે. ૩. નિઃસ્પૃહતાની વાત જોયા પછી એમની નિર્લેપતાની એક વાત જોઈએ.
મને આ પ્રસંગ બહુ સ્પર્શી ગયો છે. સમકિતી આત્મા, સંસારના પ્રસંગોમાં કેવો નિર્લેપ હોય! એનું રસાળ હૃદય, દયાથી અને કરુણાથી ભીનુ-ભીનું હોય, છતાં સંસારના ક્ષણજીવી પ્રસંગોમાં બેફિકરાઈથી અને નિર્લેપતાથી વર્તતા હોય છે. તેમની પરિણામદર્શિની બુદ્ધિ આવા પ્રસંગોમાં રોકાતી નથી. તેનાથી ઊંચી ભૂમિકાના રસાસ્વાદથી તેઓ ખૂબ તરબતર હોય છે સંસારમાં સામાન્ય ગણાય તેવા, અન્નમય કોશ, પ્રાણમય કોશ કે મનોમય કોશની ભૂમિકામાં ન અટવાતાં અને ન અટકતાં, આગળ ને આગળના વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશનાં શિખરો પરથી વહી આવતી મંદ-શીતળ અને સુગંધી સમીરને માણતા હોય છે. પછી, સામાન્ય ભૂમિકામાં શેનો રસ પડે?
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org