________________
પાંચેક બહેનો અને ચાર સાધુ મહારાજ અઠ્ઠમમાં અને જાપના ધ્યાનમાં પરોવાયાં. રોજ સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા તથા દિવસભર મુનિસુવ્રત ભગવાનની ભક્તિમાં લીન થયા.
ઉપાશ્રયની બાજુમાં એક ઓરડો હતો ત્યાં શ્રાવકો રાત્રિ સંથારો કરતા, સવારનું પ્રતિક્રમણ-જાપ-ધ્યાનસ્વાધ્યાય કરતા. બરાબર ચોથા દિવસના પરોઢિયે સાડાત્રણના સુમારે બધાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પંક્તિઓ સ્પષ્ટ દેખાઈ અને છેલ્લે અનુપચંદભાઈએ જે અર્થ કર્યો છે તે બરાબર છે, આટલું દર્શન થયું.
મગનભાઈ કરીને એક શ્રાવક હતા, તેમણે અનુપચંદભાઈને કહ્યું કે, મને એમ સ્વપ્ન આવ્યું છે કે તમે જે અર્થ વટાવ્યો છે તે સાચો છે.
મગનભાઈ વાત પૂરી કરે ત્યાં તો અન્ય શ્રાવકો પણ બોલી ઊઠ્યા અને મગનભાઈની વાતને ટેકો આપવા લાગ્યા!
અનુપચંદભાઈએ કહ્યું કે મણિવિજયજી મહારાજને વંદન કરવા જઈએ ત્યારે કોઈએ સ્વપ્નની વાત કરવાની નથી. શ્રી મણિવિજયજી મહારાજ પાસે બધા રાબેતા મુજબ વંદન અને પચ્ચકખાણ માટે ગયા. માંગલિક કહી મહારાજશ્રી સ્વયં વદ્યાઃ અનુપચંદભાઈ ! તમે જે અર્થ કરો છો તે સાચો છે. મને વહેલી પરોઢે સ્વપ્ન આવ્યું છે.
અનુપચંદભાઈ કહે આપની કૃપાથી ક્ષયોપશમ થયો. આ પ્રસંગ પછી તો મણિવિજયજી મહારાજને શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન પર અપાર શ્રદ્ધા પ્રગટી.
આ શ્રી મણિવિજયજી મહારાજ તે પૂજ્યપાદ શ્રી સાગરજી મહારાજના ભાઈ થાય. વર્તમાનમાં થઈ ગયેલા બે મણિવિજયજી મહારાજનો પરિચય ઘણાને છે. એક શ્રી મણિવિજયજી દાદા, જેઓ વર્તમાન તપાગચ્છના મોટા ભાગના સાધુ સમુદાયના મૂળ ગુરુ છે. બીજા શ્રી મણિવિજયજી સિહોરવાળા.
અહીં જે વાત માંડી છે તે પૂજ્યપાદ શ્રી સાગરજી મહારાજના ભાઈ શ્રી મણિવિજયજી મહારાજની. તેઓના ગુરુનું નામ શ્રી નીતિવિજયજી દાદા. પ્રસિદ્ધ શ્રી નીતિસૂરિ મહારાજથી આ જુદા. ખંભાતમાં આ શ્રી નીતિ વિજયજી દાદાએ સ્થિરવાસ કરેલો. અત્યારે ખંભાતમાં શ્રી જીરાવલાજીનું જે મુખ્ય દેરાસર છે,
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org