________________
૧૨૮
સંયમ જીવનના પૂર્ણ સંતોષ સાથે પ્રયાણ થતું હોય તેવું તેમના મોં પર કળાતું હતું. એમની આસપાસ ઉપસ્થિત ચતુર્વિધ સંઘના મુખેથી શ્રી નવકાર મંત્રનું લયબદ્ધ ઉચ્ચારણ ચાલી રહ્યું હતું..
...ચારને બાવીસે મહારાજજીની આંખ વિકસ્વર થઈ અને રોગથી ભરેલું ખોળિયું નિશ્ચેતન થઈ પડી રહ્યું અને એ ભવ્ય આત્મા ઉચ્ચ પંથે પ્રયાણ કરી ગયો! દેહ કાળધર્મ પામ્યો. વ્યાધિ અને સમાધિના કંઠમાં સમાધિનો વિજય થયો!
સંપૂર્ણ નિષ્કલંક જીવન જીવીને અહીંથી વિદાય લીધી. ખુલ્લી કિતાબ જેવી જીવનલીલા સંકેલી લીધી. મનગમતાં કાર્યમાં તન-મન પરોવીને જીવનભર પ્રવૃત્ત રહીને છેવટે નિશ્ચિત મને પ્રસ્થાન કર્યું.
ધન્ય હો! ધન્ય હો ! ધન્ય હો! એમની અંતરંગ જાગૃતિની છબી આપણા ચિત્ત આગળ નિરંતર રહેશે. એમના ઘેર્યનો એક અંશ આપણને મળો. એમના ગાંભીર્યનો એક કણ આપણને મળો. :
સુભાષિતમ |
). અર્થ અને પુત્ર! તું મૃગનેત્રો રાત્રિમાં ભણ્યો નહીં તેથી
| વિદ્વાનોની સભામાં મૂંઝાય છે. જેમ કાદવમાં ગાય ફસાઈ જાય - ?!?!પુત્રવ!ાથીd
-મૂંઝાઈ જાય તેમ તું મૂંઝાય છે. मृगनेत्रासुरात्रिषु। વિશેષાર્થ : આ શ્લોક/સુભાષિતમાં મૃગનેત્રા શબ્દ મહત્વનો છે. એ तेन त्वं विदुषां मध्ये
| શબ્દનો અર્થ મૃગશીર્ષ નક્ષત્ર જે રાત્રિના સંપૂર્ણ સમયમાં રહે છે તે पंके गौरिव सीदसि॥
માગસર મહિનાની લાંબી રાત્રિમાં ભણવાથી વિદ્યા સ્થિર થાય છે. मृगः नेता यस्यां रात्रौ सा मृगनेत्रा रात्रि ।
(અર્થ મૃગશીર્ષ નક્ષત્રનેતા સ્વરૂપે જે રાત્રિમાં રહે તે રાત્રિમૃગનેત્રા) આ અર્થના સમ્યગુ જ્ઞાતા જ ન હોય તેઓ મૃગના નેત્રો જેવી લાંબી રાત્રિ એવો અર્થ કરે છે પણ આ શબ્દની સિદ્ધિ માટે સિદ્ધહેમ વ્યાકરણમાં સ્વતંત્ર સૂત્ર છે. (ભાનૈતુઅધ્યાય સાતમો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org