________________
સંપૂર્ણ સ્વસ્થતા સાથે, પદ્માસને બિરાજીને પ્રયાણ કરવું એવું મનમાં રાખીયું હશે. નિયતી તણી ચિત્ત, ના એમ નિમવું'તું તથી સમાધિની સાથે સ્વર્ગની વાટ સંચર્યા. દેહને જીવ છે નોખાં, એવું શાસ્ત્ર કહ્યું ઘણું
પ્રત્યક્ષ આજ તો દીઠું દેહથી જીવ ભિન્ન છે.” સ્વસ્થ હોય ને વાતચીત કરતા હોય એ રીતે પૂછ્યું. તે વખતે સુરેન્દ્રનગર માટે કોઈ સાધુનું ચોમાસું હજુ નક્કી થયું ન હતું. એટલે પૂછ્યું : “સુરેન્દ્રનગરનું શું થયું?” પછી, એ ક્ષેત્ર માટે આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરસૂરિ મહારાજ લાગણી ધરાવે છે તેથી પૂછ્યું કે દેવેન્દ્ર સાગર સૂરિજી હાલ ક્યાં વિચરે છે? પંડિતજીએ જવાબ આપ્યો: ‘તપાસ કરીશ.”
મનની સ્વસ્થતા પૂરેપૂરી હતી. બીજી વાત નીકળી. “નેમ-રાજુલની નૃત્ય નાટિકાનો વિરોધ છે તો, એ એક રાજકુમાર અને રાજકુમારી –એમ નામ આપ ભજવી શકાય. તેવું નિવેદન તમે લખીને બહાર પાડી દેજો.”
સાંભળનારા સર્વે તાજુબ થઈ ગયા. છેલ્લે સમયે પોતાના શિષ્યો માટે કે કેસરિયાજીનગર માટે કે દોલતનગરની પેઢી માટે એક હરફ સુધ્ધાં ન ઉચાર્યો. શ્રી સંઘ માટેની ચિંતા એમના હૈયે કેવી રમતી હશે જેથી આવા વિચારો આવે !
સકલ સાધના કરો, સાર ને મર્મ એટલો; દેહ જીવ જુદા જાણ્યાં, તેણે જાણ્યું ઘણું બધું. ખીલેલા પુષ્પની જેવી (સોહતી) મુખની કળા; આદર્શ, જીવવા કેરો; મૌનથી આપતા ગયા. પિતા ને ગુરુઆણાને ઉથાપે ના કદિ ક્યહી; | પિતા-ગુરુ પૂજય પંન્યાસ શ્રી પુણ્યવિજયજી મહારાજ આ તેનું ફળ છે કે શું? આશીર્વાદ ફળ્યા ફળ્યા.
ગુરુ : પૂજયપાદ આચાર્ય શ્રી અમૃતસૂરિ મહારાજ
૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org