________________
એ કન્યાને વરવા સજ્જ બનીએ પ્રાતઃ સ્મરણીય પુણ્યનામ શ્રી સિધ્ધર્ષિગણિ મહારાજ એક દષ્ટિસંપન ઉભટ વિદ્વાન હતા. તેમની પ્રજ્ઞા શબ્દને પેલે પાર પ્રતિષ્ઠિત થઈ હતી. શબ્દાતીત અવસ્થા શાશ્વત છે. સ્થળ-કાળની પેલે પારથી આવેલા ઘણા સંદેશા તેમણે ઝીલ્યા છે અને તે આપણા સુધી પહોંચાડ્યા છે. તેના ચમકારા ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં વરતાય છે.
જેવી રીતે સૂરિ પુરંદર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજના ગ્રંથમાં કોઈ વાત મળે તો એવું ન પૂછાય કે આ વાત ક્યાંથી આવી! બરાબર એ જ રીતે શ્રીસિધ્ધર્ષિ મહારાજને ક્યારેય એવું ન પૂછાય કે આ ક્યાંથી લાવ્યા?
જેમ કે અહીં પ્રસિદ્ધ યતિધર્મથી ચાર જુદા લીધા છે. પ્રચલિત ક્રમ અને નામ આ પ્રમાણે છેઃ खंति मद्दव अज्जव मुत्ति तव संजमे व बोधव्वे। सच्चं सोअं आकिंचणं च बंभं च जइधम्मो॥(नवतत्त्वप्रकरणम् )
અર્થ: ક્ષમા-માર્દવર-આર્જવ (સરળતા) મુક્તિ (આંતર ગ્રંથિથી મુક્ત)-તપ-સંયમ સત્ય-શૌચઅકિંચનતા અને બ્રહ્મ
આ ગાથા અને ક્રમ પ્રસિદ્ધ છે. જ્યારે સિધ્ધર્ષિ મહારાજે ક્રમ બદલ્યો છે. તેઓશ્રીએ દયા - અચૌરતા -વિદ્યા અને નિરીહતા આ ચાર સ્વયં વિચાર્યા છે. એમ દશની સંખ્યા તો જાળવી જ છે. જ્ઞાનક્ષેત્રના ઊંડાણનાં દર્શન એ દશે યતિધર્મને કન્યાના રૂપકમાં અને તે વાસ્તવમાં આત્મિકધર્મની પ્રાપ્તિના ક્રમમાં થાય છે.
જ્યારે તમે એ દશે કન્યાને પરણવા માટેની લાયકાત માટે જરૂરી વિધિ-નિષેધની વાત વાંચો છો તેમાં તેઓશ્રીના ચિત્તની અગાધતાના દર્શન થાય છે. અલૌકિક ભાષા પ્રભુત્વ, શાસ્ત્ર પરિણતિ, લોકોત્તર જ્ઞાન ગાંભીર્ય વગેરે તો આપણાં ચિત્તમાં પ્રતિબિંબિત થાય છે જ.પછી મુખ્ય વાત આવે છે આ દશે કન્યા સાથેના પરિણયની. તે માટે યોગ્યતા કેળવવાની છે. આત્માનાં ગુણોને જીવનનાં સ્તરે લાવવાનો છે. વ્યવહાર ધર્મથી જીવન જીવાય છે તે વાત સાચી પણ તેમાં ધ્યેય રૂપે નિશ્ચય ઘર્મ રાખવાનો છે. વ્યવહાર ઘર્મ તે સાધન છે.
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org