________________
૧૨૪
હા, જરૂર મળે. નવકારશીનું પચ્ચખાણ આવે એટલે તૈયાર ! એટલામાં ગઈકાલની જેમ, પૂજારી એક થાળીમાં પ્રભુજીને અંગ લૂછણાના ધવલ વસ્ત્રથી ઢાંકીને લાવતો હતો, તેને પગથિયે રોકી, હાથના ઈશારે પરત મોકલ્યો અને સાધુઓને હાથનો ઈશારો કર્યો કે, “ચાલો, મૂલેવા પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરવા જવું છે.” બોલવામાં ઘણું કષ્ટ પડતું હતું. મૂલેવા પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અથાગ શ્રદ્ધા હતી. માત્ર દર્શન કરવાં હોત તો શાન્તિનાથ પ્રભુજીનું દેરાસર તો હાથ-હેંત નજીક હતું. એક ખુરશીમાં બેસાડીને મૂલવા લઈ તો ગયા પણ શ્રમ એટલો બધો લાગ્યો કે દર્શન પછી ડોક ઢાળી દીધી. શરીર સફેદ પૂણી જેવું થઈ ગયું. સાથે રહેલા સાધુઓને તો પરસેવો છૂટી ગયો!
અશક્તિ હતી ઘણી ત્યારે, જોઈને જલદી લાવીયા; વૈશાખ મહિનો, રાત્રી, દવાની વળી ઉષ્ણતા. દેહમાં દાહ વ્યાપ્યો'તો, પાણી પાણી થઈ રહ્યું અઠ્ઠમ પારણે જેવું શર્કરા જલ આવતું. તેવું મળે શું અત્યાર? થાય તો કરો તમે હા ! હા! કહી વળી શાતા, આપી રાજી થયાં ઘણાં. નવકારશીની વેળાએ શર્કરા જલે આવીયું સાત ચાલીસે જ્યારે, ડૉક્ટર જબ આવીયા. આ શું કર્યું? કર્યું કોણે? ઉપાલંભ ઘણાં વહયા;
પ્રભુના દરશને ક્યારે, કષ્ટ ના અમને થતું.” ઉપાશ્રયે લાવી, નવકારશીનું પચ્ચખાણ આવ્યું. નવકારશી કરાવી, સાકરનું પાણી વપરાવ્યું. હાશ થઈ! થોડી વારે ડૉકટર ગવાડિયા આવ્યા. તપાસીને જોયું તો પલ્સ, બી.પી. વગેરેમાં ઠેકાણાં ન હતાં. પાટને બદલે પલંગ પર ફેરવાયા. “આમ કેમ થયું? એ પ્રશ્નના જવાબમાં જાણ્યું કે તેમને પોળ બહાર દર્શન કરાવવા લઈ ગયા હતા.
આવું ડાપણ કોણે કરાવ્યું?”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org